For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે કલાકની સલાહ માટે 11 કરોડ: પ્રશાંત કિશોરે ત્રણ વર્ષમાં 241 કરોડની કમાઇનો હિસાબ આપ્યો

05:02 PM Sep 30, 2025 IST | Bhumika
બે કલાકની સલાહ માટે 11 કરોડ  પ્રશાંત કિશોરે ત્રણ વર્ષમાં 241 કરોડની કમાઇનો હિસાબ આપ્યો

જીએસટી પેટે 30 કરોડ, આવકવેરાના 30 કરોડ ચુકવ્યા, પોતાની પાર્ટીને 98 કરોડનું દાન આપ્યું

Advertisement

ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા અને જન સૂરજના શિલ્પી, પ્રશાંત કિશોર (પીકે) એ તેમના ભંડોળ અને વ્યક્તિગત આવક અંગે ઉભા થયેલા પ્રશ્નો અંગે એક મોટો ખુલાસો કર્યો છે. સોમવારે રાજધાની પટણામાં પત્રકારોને સંબોધતા, પીકેએ તેમની કમાણીનો ચોંકાવનારો આંકડો જાહેર કર્યો.

પ્રશાંત કિશોરે સ્પષ્ટતા કરી કે તેમને આ પૈસા ચૂંટણી રણનીતિ પર સલાહ આપવાના તેમના કાર્યમાંથી મળ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, એટલે કે, નાણાકીય વર્ષ 2021-22 થી અત્યાર સુધી, તેમના ખાતામાં ફી તરીકે કુલ ₹241 કરોડ જમા થયા છે.

Advertisement

પોતાની વ્યાવસાયિક ફી સમજાવતા, તેમણે દાવો કર્યો કે તેમણે એક જ ક્ધસલ્ટેશન માટે ₹11 કરોડ સુધી ચાર્જ કર્યા છે. પીકેએ નવયુગ ક્ધસ્ટ્રક્શન ક્ધસલ્ટિંગ નામની કંપનીનું ઉદાહરણ આપ્યું, જેમાં તેમણે માત્ર બે કલાક માટે તેમની સાથે ₹11 કરોડ ચૂકવ્યા હતા.

પીકેએ તેમની આવક જાહેર કરી અને કહ્યું કે તેઓ એક જવાબદાર નાગરિક તરીકે કર ચૂકવે છે. તેમણે જણાવ્યું કે આ ₹241 કરોડની આવક પર, તેમણે જીએસટી તરીકે ₹30 કરોડ (કુલ આવકના 18%) ચૂકવ્યા. અ ઉપરાંત્ત સરકારને આવકવેરો તરીકે ₹20 કરોડ ચૂકવ્યા. વધુમાં, પ્રશાંત કિશોરે જણાવ્યું કે તેમણે તેમના અંગત ભંડોળમાંથી ₹98 કરોડની નોંધપાત્ર રકમનું દાન કર્યું છે, જેનો ઉપયોગ જાહેર કલ્યાણ કાર્યો માટે થઈ રહ્યો છે.

પ્રશાંત કિશોરે તેમની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે તેમણે આ ખુલાસો એવા લોકોના જવાબમાં કર્યો છે જેઓ તેમની આવક પર સતત પ્રશ્ન ઉઠાવી રહ્યા હતા. તેમણે પુનરોચ્ચાર કર્યો કે તેમનો ધ્યેય બિહારમાંથી પૈસા કમાવવાનો નથી, પરંતુ રાજ્યના ભલા માટે કામ કરવાનો છે, જેના માટે તેઓ તેમના બધા પૈસા ખર્ચ કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement