For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

1000 કરોડનું કમિશન: મધ્યપ્રદેશ સરકાર મંત્રી સામે તપાસ કરશે

06:18 PM Jul 01, 2025 IST | Bhumika
1000 કરોડનું કમિશન  મધ્યપ્રદેશ સરકાર મંત્રી સામે તપાસ કરશે

Advertisement

મધ્યપ્રદેશના PHE વિભાગના મંત્રી સંપતિયા DBL પર 1000 કરોડ રૂૂપિયાનું કમિશન લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ અંગે જાહેર આરોગ્ય ઇજનેરી (PHE) વિભાગે પોતાના જ વિભાગના મંત્રી સામે તપાસનો આદેશ આપ્યો છે. વડા પ્રધાનને ફરિયાદ કરવામાં આવ્યા બાદ અને કેન્દ્ર દ્વારા રિપોર્ટ માંગવામાં આવ્યા બાદ મુખ્ય ઇજનેર (ENC) સંજય અંધવને તપાસનો આદેશ આપ્યો છે.

મુખ્ય ઇજનેર કાર્યાલયે આ મામલે PHEના તમામ મુખ્ય ઇજનેર અને પ્રોજેક્ટ ડિરેક્ટર એમપી જલ નિગમને પત્ર લખીને સાત દિવસની અંદર રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. સૂચનાઓમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર દ્વારા રાજ્યના જલ જીવન મિશનને આપવામાં આવેલા 30 હજાર કરોડ રૂૂપિયાના ખર્ચની તપાસ કરવામાં આવે. આ સાથે, PHE મંત્રી સંપતિયા DBL અને તેમના માટે પૈસા જમા કરાવનારા મંડલાના કાર્યકારી ઇજનેરની મિલકતોની તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ઇંઊ વિભાગે કહ્યું- આરોપો પાયાવિહોણા અને બનાવટી છે.તપાસના આદેશ પછી, સોમવારે સાંજે, મુખ્ય ઇજનેર સંજય અંધવને કહ્યું કે મંત્રી સંપતિયા DBL સામે કરવામાં આવેલી ફરિયાદ પાયાવિહોણી છે.

Advertisement

મધ્યપ્રદેશના બાલાઘાટના કાર્યકારી ઇજનેરનો અહેવાલ ટાંકીને તેમણે કહ્યું કે ફરિયાદી કિશોર સમરિતે દ્વારા કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. માહિતી અધિકાર હેઠળ વિભાગીય અધિકારી દ્વારા મોકલવામાં આવેલા પત્રને જ આધાર તરીકે લેવામાં આવ્યો હતો.

અંધવને જણાવ્યું હતું કે બાલાઘાટ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કિશોર સમરિતને જાણ કરી હતી કે કોઈ ગેરરીતિ થઈ નથી. સમરીતે કહ્યું કે પીઆઈયુ અને જલ નિગમના ડિરેક્ટર જનરલ અને એન્જિનિયરોએ 1000-1000 કરોડનું કમિશન લીધું છે. બેતુલના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કોઈ કામ કર્યા વિના સરકારના ખાતામાંથી 150 કરોડ ઉપાડી લીધા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement