For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

'મોદી ખૂબ જ દૂરનું વિચારે છે, અત્યાર સુધી જે પણ થયું તે તો ટ્રેલર છે', જમ્મુમાં PM મોદીએ ગજવી જંગી સભા

02:37 PM Apr 12, 2024 IST | Bhumika
 મોદી ખૂબ જ દૂરનું વિચારે છે  અત્યાર સુધી જે પણ થયું તે તો ટ્રેલર છે   જમ્મુમાં pm મોદીએ ગજવી જંગી સભા

Advertisement

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. રાજકીય પક્ષોના નેતાઓ વિવિધ રાજ્યોમાં જઈને રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુના ઉધમપુરમાં રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું ઘણું આગળ વિચારું છું. તેમણે આજે (12 એપ્રિલ, 2024) દાવો કર્યો હતો કે આજે જમ્મુ-કાશ્મીરમાં બધું બદલાઈ ગયું છે. આ માટે અમે સતત કામ કરી રહ્યા છીએ.

PM મોદીએ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં કહ્યું, "દશકો પછી આ પહેલી ચૂંટણી છે, જ્યારે આતંકવાદ, અલગતાવાદ, પથ્થરમારો, હડતાલ, સરહદ પારથી ગોળીબાર, આ ચૂંટણીના મુદ્દા નથી. તે સમયે માતા વૈષ્ણો દેવી યાત્રા કે અમરનાથ યાત્રા સુરક્ષિત રીતે કેવી રીતે ચલાવવી તે અંગે ચિંતા હતી. તેમણે આગળ કહ્યું, “આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે જમ્મુ-કાશ્મીરમાં વિકાસ થઈ રહ્યો છે અને વિશ્વાસ પણ વધી રહ્યો છે. તેથી જ આજે જમ્મુ-કાશ્મીરના ખૂણે-ખૂણેથી એક જ પડઘો સંભળાઈ રહ્યો છે - ફરી એકવાર મોદી સરકાર.

Advertisement

શું કહ્યું પીએમ મોદીએ?

પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી માત્ર સાંસદોને પસંદ કરવા માટે નથી, પરંતુ આ ચૂંટણી દેશમાં મજબૂત સરકાર બનાવવાની છે. જ્યારે સરકાર મજબૂત હોય છે, ત્યારે તે જમીન પરના પડકારો વચ્ચે પણ પડકારોનો સામનો કરીને કામ કરે છે.

પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો

કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે તમને યાદ છે કે કેવી રીતે કોંગ્રેસની નબળી સરકારોએ શાહપુર કાંડી ડેમને દાયકાઓ સુધી લટકી રાખ્યો. જમ્મુના ખેડૂતોના ખેતરો સુકાઈ ગયા હતા, ગામડાઓ અંધકારમાં હતા, પણ આપણા હકનું રાવીનું પાણી પાકિસ્તાન જઈ રહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હત્ય કે મેં ખેડૂતોને ગેરંટી આપી હતી અને પૂરી પણ કરી છે. કઠુઆ અને સાંબાના હજારો ખેડૂતોને તેનો લાભ મળ્યો છે. આટલું જ નહીં, આ ડેમમાંથી ઉત્પન્ન થતી વીજળી જમ્મુ-કાશ્મીરના ઘરોને રોશન કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement