For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુવૈતમાં ઈમારતમાં ભીષણ આગ, 30 ભારતીય સહિત 43નાં મોત

05:05 PM Jun 12, 2024 IST | Bhumika
કુવૈતમાં ઈમારતમાં ભીષણ આગ  30 ભારતીય સહિત 43નાં મોત
Advertisement

ગલ્ફ ક્ધટ્રી કુવૈતના દક્ષિણ શહેર મંગફમાં બુધવારે એક ઇમારતમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આ ઘટનામાં જેમાં 30 ભારતીય સિત 43 લોકોના કરૂણ મોત થયા છે. અહેવાલ અનુસાર આગની આ ઘટના સવારે બની હતી અને અનેક ફ્લોર તેની લપેટમાં આવી ગયા હતા. માહિતી અનુસાર મૃત્યુ પામનારા ભારતીય નાગરિકો કેરળના હોવાનું સામે આવ્યું છે. કુવૈતની ઓથોરિટીએ કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ અને આગ લાગવાના કારણો જાણવાના પ્રયાસો થઇ રહ્યા છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, દક્ષિણ કુવૈતના મંગાફ શહેરમાં બુધવારે સવારે એક બિલ્ડિંગમાં આગ લાગી ગઈ છે. આ બિલ્ડિંગમાં ભારત અને એશિયાના શ્રમિકો રહે છે. આગની ઘટમાં 43 લોકોના મોત અને 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement