For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જગન્નાથ પુરીની રથયાત્રામાં મોટી દુર્ઘટના: બલભદ્રની મૂર્તિ રથમાંથી ઉતારતી વખતે નમી પડી, 9 સેવક ઘાયલ, જુઓ વીડિયો

10:26 AM Jul 10, 2024 IST | Bhumika
જગન્નાથ પુરીની રથયાત્રામાં મોટી દુર્ઘટના  બલભદ્રની મૂર્તિ રથમાંથી ઉતારતી વખતે નમી પડી  9 સેવક ઘાયલ  જુઓ વીડિયો
Advertisement

ઓડિશામાં જગન્નાથ રથયાત્રામાં ફરી એકવાર મોટીદુર્ઘટના ઘટી છે. ગઈ કાલે ભગવાન બલભદ્રની મૂર્તિ સેવકો પર પડી હતી. જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ ઘાયલો સેવકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. આ ઘટનાનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર સેવકો ભગવાનની મૂર્તિઓને રથમાંથી ઉતારીને મંદિરમાં લઈ જતા હતા.બલભદ્રજીને ઉતારતી વખતે સેવકો રથના ઢોળાવ પર લપસી પડ્યા અને મૂર્તિ તેમના પર પડી. જેમાં 9 જણાં ઘાયલ થયા હતા. 5 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, મૂર્તિને કોઈ નુકસાન થયું નથી.

Advertisement

પુરીના કલેક્ટર સિદ્ધાર્થ શંકર સ્વૈને જણાવ્યું હતું કે નવ ઘાયલોમાંથી પાંચને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ચારને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ અકસ્માત રાત્રે 9 વાગ્યાના થોડા સમય બાદ થયો હતો જ્યારે ભગવાન બલભદ્રની મૂર્તિને ગુંડીચા મંદિરમાં લઈ જવા માટે રથમાંથી નીચે લાવવામાં આવી રહી હતી.

ભગવાનને વહન કરવાની આ પ્રક્રિયાને 'પહાંડી' વિધિ તરીકે ઓળખવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે મૂર્તિ લઈને જઈ રહેલા લોકોનું અચાનક સંતુલન ખોવાઈ ગયું. જેના કારણે આ અકસ્માત થયો હતો. એક ઘાયલ સર્વિસમેને જણાવ્યું કે મૂર્તિ સાથે બાંધેલા દોરડામાં કોઈ સમસ્યાને કારણે આ અકસ્માત થયો હતો.

મુખ્યમંત્રીએ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને ઘાયલ સેવકોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદનને તાત્કાલિક પુરીની મુલાકાત લેવા અને યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

અકસ્માત બાદ મૂર્તિઓને ગુંડીચા મંદિરમાં લઈ જવામાં આવી હતી.
અકસ્માત બાદ ત્રણેય ભાઈ-બહેન ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રની મૂર્તિઓ તેમના જન્મસ્થળ ગણાતા ગુંડીચા મંદિરની અંદર લઈ જવામાં આવી હતી. હવે તેઓ 15મી જુલાઈએ 'બહુદા યાત્રા' સુધી ગુંડીચા મંદિરમાં રોકાશે. તમને જણાવી દઈએ કે આ વખતે 53 વર્ષ બાદ પુરીમાં રથયાત્રા બે દિવસની છે. રવિવારનો પ્રવાસનો પહેલો દિવસ હતો, જે સૂર્યાસ્ત સમયે રોકી દેવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement