For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા શરૂ, ઢોલ-નગારાના તાલથી મંદિરમાં ભક્તિમય માહોલ

10:50 AM Jun 22, 2024 IST | Bhumika
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા શરૂ  ઢોલ નગારાના તાલથી મંદિરમાં ભક્તિમય માહોલ
Advertisement

આજે જેઠ સુદ પૂનમના દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી શોભાયાત્રા પ્રારંભ થયો હતો. મિની રથયાત્રા કહેવાતી જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતે ગાજતે નીકળી હતી. આ જળયાત્રા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.સાબરમતી નદી સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કર્યા બાદ 108 કળશમાં નદીનું જળ લાવી જળયાત્રા ફરી નિજ મંદિરે પહોંચી હતી. થોડીવારમાં આ જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ.પૂ. અવિચલદેવાચાર્યજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા હતા. અને આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ જળયાત્રામાં 18 ગજરાજ અને 18થી વધુ ભજનમંડળી પણ જોડાઈ હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement