For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોટડાસાંગાણી અને લોધિકા પંથકમાં વીજળીના વાંકે પાકને અસર

12:08 PM Dec 12, 2023 IST | Sejal barot
કોટડાસાંગાણી અને લોધિકા પંથકમાં વીજળીના વાંકે પાકને અસર

કોટડાસાંગાણી તાલુકા નાં શાપર વેરાવળ લોધિકા તાલુકાના પારડી ઢોલરા કાંગસયાળી નાં ખેડુત હેરાનપરેશાન થઇ ગયા છે. શાપર પારડી ઢોલરા કાંગસયાળી નાં સંરપચો ઉપ સરપંચો ખેડૂતો ભેગા મળીને જી ઈ બી ની ઓફિસે રૂૂબરૂૂ ગયાં હતાં ત્યારે ઓફીસે ગયા હતા ત્યારે જી ઈ બી ના અધિકારી કર્મચારીની નુ ખુરશી ઓ ખાલી ખમ જોવાં મળી હતી પારડી પેટા વિભાગ કચેરી ના મેઈન મંથન સાહેબ 15 દિવસ થી રજા લીધા વગર ગુમ હોય તેવું જાણવા મળેલ છે.
છેલ્લા 15 દિવસથી લાઈટ વિના ખેડૂતો હેરાન પરેશાન છે ખેડૂતોએ વાવેતર કરેલું હોય પાણી વિના વાવેલ મોલ સુકાઈ રહ્યો છે વાડીઓમાં માલ ઢોરને માલ ઢોરને પાણી નથી મળતું વાડીયોમાં રહેતા મજૂરોને પીવાનું પાણી નથી પારડી પેટા વિભાગ કચેરી ડિવિઝન નો સ્ટાફ ખેડૂત કે કોઈ આગેવાન ના ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધેલ છે ટૂંક સમયમાં શાપર પારડી ઢોલરા કાંગસિયાળી નાં ખેડૂતોને લાઈટ નહિ આવે તો અનેક ખેડૂતોને ઉભા પાકની નુકસાની ભોગવવાનો વારો આવશે લાઈટ નહિ આવે તો જીએબી પારડી પેટા વિભાગ કચેરી ખાતે ઉપવાસ ઉપર બેસીને નો ન્યાય નો આવે તો તાળાબંધી કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement