ગારિયાધારમાં શ્રમિક યુવકની હત્યા
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ફાચરીયા ગામની વાડીમાં મજુરી કામ માટે આવેલા એક શ્રમીકની પત્નિ સાથે બીજા શ્રમીકને પ્રેમ સબંધ હોવાની શંકા રાખી બે શખ્સોએ લોખંડની પાઇપ અને લાકડીના ફટકા મારી શ્રમીકને મોતને ઘાટ ઉતાર્યો હતો.યુવકની હત્યા કર્યા બાદ લાશને સાંઠીના ઢગની નીચે છુપાવી દેવામાં આવી હતી. પોલીસ એ આ અંગે તપાસ હાથ ધરી છે.
ખૂન ના આ બનાવ અંગેની અંગેની વિગતો એવી છે કે રાજેન્દ્રભાઇ વાઘાણીએ નોંદાવેલી ફરિયાદ પ્રમાણે તેમની વાડીમાં છેલ્લા 20 દિવસથી દશેરીયા ઉર્ફે દિલીપ કેરીયાભાઇ બામણીયા,દશેરીયાની પત્નિ ચંપા (મુળ રહે.બડદલા, અલીરાજપુર) દિપક ઇદાભાઇ રાઠવા 9મુળ રહે.દિવાન બંગલો, છોટાઉદેપુર) જીણાભાઇ ઇદાભાઇ રાઠવા સહિત છ લોકો મજુરી કામ માટે વાડીની ઓરડીમાં રહેતા હતા.
દરમિયાન રાજેન્દ્રભાઇ વાડીએ ગયા ત્યારે ચંપા રડતી હતી અને તેણે જણાવ્યું હતુ કે, જીણા રાઠવાને મારી સાથે પ્રેમ સબંધ હોવાની શંકા રાખીને ગઇકાલે રાત્રે મારા પતિ તેમજ દિપક રાઠવાએ પાઇપ અને લાકડીના ફટકા મારી જીણા રાઠવાની હત્યા કરી નાંખી છે અને તેની લાશ સાંઠીના ઢગ નીચે મુકી દીધી છે. આ બનાવ અંગે ગારીયાધાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.