For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કચ્છની મુલાકાતે

04:27 PM Sep 04, 2024 IST | admin
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કચ્છની મુલાકાતે

પૂર અસરગ્રસ્તોની મુલાકાત લઈ પરિસ્થિતિ જાણી

Advertisement

શકિતસિંહ ગોહિલે કચ્છ કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સાથે વાતચીત કરીને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે માહિતી મેળવી હતી. શકિતસિંહ ગોહિલ કચ્છ જિલ્લાની નુકસાની અને વાસ્તવિક પરિસ્થતિનો ચિતાર મેળવી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરશે. શકિતસિંહ ગોહિલ બે દિવસ માટે કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે ચિતાર મેળવ્યો હતો.

સરકાર દ્વારા આવી આપત્તિના સમયે લોકોની ઉદાર હાથે મદદ કરે તે ખૂબ જરૂૂરી છે.કોંગ્રેસની સરકાર સમયે પણ વર્ષ 1982માં આવી જ અતિવૃષ્ટિ અને વાવાઝોડાની સ્થિતિ થઈ હતી ત્યારે જેનું જે નુકસાન થયું તેને પૂરું વળતર કોંગ્રેસની સરકારે આપ્યું હતું.તે સમયે જે લોકોના ઝુંપડા પડી ગયા હતા તેવા લોકોને પાકા મકાનો બંધાવીને આપ્યા હતા જે આજે પણ હજુ ઊભા છે.જે માલધારીઓના પશુઓ આરિવૃષ્ટિમાં ચાલ્યા ગયા તેમને પણ પૂરતું વળતર આપવું જોઈએ, જે ખેડૂતોને તેમના પાકમાં નુકસાની થઈ છે તેને પણ વળતર આપવું જોઈએ.
આજે ભાજપની સરકાર અસરગ્રસ્તો પાસે 1 ફોર્મ ભરાવી રહી છે.જેમાં કપડાં અને ઘરવખરીના 2500 રૂૂપિયા અને ઘરની બીજી નુકસાનીના બીજા 2500 રૂૂપિયા .

Advertisement

જે લોકોનું સર્વસ્વ ખરાબ થયું છે તેમનું 5000 રૂૂપિયામાં કંઈ ભલું થાય ખરું? ત્યારે સરકાર દ્વારા માનવતાની દ્રષ્ટીએ ઉદાર હાથે મદદ કરવી જોઈએ.ખેડૂતોના ખેતરમાં વરસાદ અને પવનના કારણે કપાસ, તલ, એરંડા જેવા પાકોને નુકસાની થઈ છે ત્યારે તેમને પૂરું વળતર મળવું જોઈએ.તાત્કાલિક સર્વે કરીને વ્હોટસએપના માધ્યમથી પુરાવા મેળવીને સહાય ચૂકવવી જોઈએ.

અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત થયેલા લોકોને કેશડોલ્સ એટલે કે રોકડની સહાય રોજેરોજની મળવી જોઈએ તેવું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટમાં છે. પરંતુ સરકાર એમ જણાવે છે કે સરકારે જે લોકોનું સ્થળાંતર કર્યું છે તેવા લોકોને જ કેશ ડોલ્સ ચૂકવવામાં આવશે.રાજ્યના વિવિધ જીલ્લાઓમાં થયેલ નુકસાની અંગેની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેઈલ મારફતે પણ કરવામાં આવી છે.આશા છે કે કેન્દ્ર અને રાજ્યની ભાજપની સરકાર માનવતાની દ્રષ્ટીએ લોકોને પૂરતી સહાય આપે.

ઘરમાં પાણી ઘૂસ્યા હતા તો ઘરવખરીમાં ઘરના દરવાજા, સોફા અને લાકડાના ફર્નિચરને નુકસાની પહોંચી છે તો ચાર દિવસમાં એક જ વખત આર્મી ની ટીમ જ્યારે રેસ્ક્યુ કરવા આવી ત્યારે ફૂડ પેકેટ આપ્યા હતા પરંતુ દૂધ અને પાણીની ખૂબ જ તકલીફ હતી તો નગરપાલિકા દ્વારા પાણી ઉલેચવાનું શરૂૂ કરાયું છે પણ પંપ પણ ખૂબ ધીમા છે માટે ખૂબ ઝડપથી કામગીરી કરે તેવી અપેક્ષા છે નહીં તો વધારેમાં વધારે રોગચાળો ફેલાય તેવી ભિતી છે.
અનાજ અને કેટલફીડના વેપારી જણાવ્યું હતું કે દુકાનમાં ચાર ચાર ફૂટ પાણી ભરાયા હતા જેના કારણે અનાજની બોરિયો પલળી ગઈ હતી માંડવી તાલુકાના ગામડાઓમાં આવેલ વાડી વિસ્તારોમાં પણ નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને પપૈયા,કેળા અને દાડમના પાકો નો સોથ વળી ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement