રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કચ્છના 21 ટાપુઓ ઉપર પ્રવેશ કરવા પર પ્રતિબંધ

12:02 PM Jul 27, 2024 IST | admin
Advertisement

દેશદ્રોહી પ્રવૃત્તિ રોકવા માટે લેવાયો નિર્ણય

Advertisement

કચ્છના વિવિધ નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે.. આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા માટે આ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ચભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ સહિત કુલ-21 ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

અસામાજિક તત્વો દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા આ ટાપુઓનો ઉપયોગ કરે તેવી પુરી સંભાવનાને પગલે પ્રતિબંધ મૂકાયો છે.

Tags :
ban on 21 islandsgujaratgujarat newskachchkachchnews
Advertisement
Next Article
Advertisement