રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કચ્છ જેલમાં પીધેલા પકડાયેલા બૂટલેગરને રાજકોટ જેલમાં ખસેડાયો

03:48 PM Jul 26, 2024 IST | admin
Advertisement

ભચાઉ પાસે પોલીસની હત્યાના પ્રયાસમાં પોલીસે બૂટલેગર યુવરાજસિંહ જાડેજાને ગળપાદર જેલમાં ધકેલ્યો હતો

Advertisement

કચ્છની ગળપાદર જેલમાં પોલીસના છાપા દરમ્યાન છ શખ્સ પીધેલા મળ્યા હતા.આ બનાવ બાદ આ બુટલેગરની રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.ભચાઉથી થોડે દૂર પોલીસ ઉપર ગાડી ચડાવી મારી નાખવાની કોશિશના પ્રકરણમાં પોલીસે બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે સી.આઇ.ડી. ક્રાઇમમાંથી બાદમાં ફરજમોકૂફ કરાયેલા નીતા ચૌધરીને પકડી પાડયો હતો. આ બનાવમાં બુટલેગરને ગળપાદર જિલ્લા જેલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં શનિવાર-રવિવારની રાત્રે પોલીસવડા સાગર બાગમારની આગેવાની હેઠળ પોલીસે આશ્ચર્યજનક રીતે છાપો માર્યો હતો. ગળપાદર જેલમાં બુટલેગર યુવરાજના ઠાઠ જોવા મળ્યા હતા. આ કાર્યવાહી અંગે પોલીસે તમામ વિરુદ્ધ અલાયદા ગુના દાખલ કર્યા હતા.

આ બનાવ બાદ ગળપાદર જિલ્લા જેલના અધિકારી સહિત પાંચ કર્મચારીને ફરજમોકૂફ કરવામાં આવ્યા હતા. દરમ્યાન પોલીસ અને તંત્રએ કડક વલણ અપનાવ્યું હોય તેમ બુટલેગર યુવરાજસિંહની ગળપાદર જેલથી રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરી હતી તેમજ જેલમાં પીધેલા પકડાયેલા અન્યોને પણ અન્યત્ર ટ્રાન્સફર કરવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Tags :
gujaratgujarat newskachchkachchnewsrajkotjailrajkotpolice
Advertisement
Next Article
Advertisement