For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયાના તેજાબી વક્તા નટુભાઈ ગણાત્રાનું અવસાન: આજે પ્રાર્થનાસભા

11:11 AM Jun 08, 2024 IST | Bhumika
ખંભાળિયાના તેજાબી વક્તા નટુભાઈ ગણાત્રાનું અવસાન  આજે પ્રાર્થનાસભા
Advertisement

જામ ખંભાળિયા: જુના અને જાણીતા કાર્યકર તથા તેજાબી વક્તા નટવરલાલ ગણાત્રા (નટુભાઈ ગણાત્રા, ઉ.વ. 77) સ્વ. વિઠ્ઠલદાસ જીવરાજ ગણાત્રાના સુપુત્ર તેમજ યુ.કે. નિવાસી જગદીશભાઈ, દિનેશભાઈ, જયંતીભાઈ, કિશોરભાઈ, અને ગીતાબેન નરેન્દ્રકુમાર ખગ્રામ (યુ.કે.)ના ભાઈ તેમજ રવિરાજના પિતાશ્રી તથા હીનાબેનના સસરા તેમજ નિશુ, મિશુ અને મનદીપના દાદા શુક્રવાર તારીખ 7 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે.

જુના જનસંઘી અને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી જરૂર પડ્યે આંદોલન કરનારા નટુભાઈ ગણાત્રા અગાઉના સમયમાં નોંધપાત્ર રાજકીય વર્ચસ્વ પણ ધરાવતા હતા. દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે પણ તેઓ એક વખતનો સંપર્ક ધરાવતા હતા. નટુભાઈ ગણાત્રા ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના પણ દાયકાઓ જૂના ગાઢ મિત્ર હતા. નટુભાઈના નિધનથી પરિમલભાઈ નથવાણીએ પણ દુઃખ સાથે શોક વ્યક્ત કરી, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Advertisement

તેમની પ્રાર્થનાસભા શનિવાર તારીખ 8 ના રોજ સાંજે પાંચથી સાડા પાંચ ભાઈઓ તથા બહેનો માટે અત્રે ગણાત્રા હોલ, રામનાથ સોસાયટી, ખંભાળિયા ખાતે રાખવામાં આવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement