For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખાંભાના હનુમાનપુર ગામે વીજશોકથી બે સગાભાઇ અને ભત્રીજાના મોતથી માતમ

01:23 PM Jun 24, 2024 IST | Bhumika
ખાંભાના હનુમાનપુર ગામે વીજશોકથી બે સગાભાઇ અને ભત્રીજાના મોતથી માતમ
Advertisement

અમરેલીના ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં મકાનના કામ દરમિયાન રેતી વોશ કરતી સમયે મશીનમાં વીજકરંટ લાગતા બે ભાઈ અને ભત્રીજાના મોત નિપજ્યા હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી જિલ્લામાં આવેલ ખાંભાના હનુમાનપુર ગામમાં રહેણાંક વિસ્તારમાં મકાનનું કામ ચાલતું હોવાને કારણે બોરીચા પરિવારના લોકો રેતી વોશ કરી રહ્યા હતા. ત્યારે મશીનમાં પથુભાઈ બોરીચા, માનસુબાઈ બોરીચા અને ભવદીપ બોરીચાને વીજકરંટ લાગતા ત્રણેયના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા ખાંભા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કાઠી સમાજના આગેવાનો હોસ્પિટલ પર દોડી ગયા હતા. આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

રેતી વોશિંગના મશીનમાં વીજ કરંટ લાગતા જે ત્રણ લોકોના મોત નિપજ્યા છે. તેમાં પથુભાઈ અને માનકુભાઈ બે સગાભાઈઓ છે. જ્યારે ભવદીપ બોરીચા તેનો ભત્રીજો થતો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement