જૂનાગઢના અગતરાયની પરિણીતાને ‘તું રેઢિયાળ છો’ તેમ કહી સાસરિયાઓએ કાઢી મૂકી
જૂનાગઢના આગત રાય ગામે સાસરે રહેતી અને હાલ જુનાગઢ પિયરે રિસામણે આવેલ પરણીતા એ પતિ સહિતના સાસરિયાંઓ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા શહેરના મહિલા પોલીસ સ્ટેશન દ્વારા આ સંદર્ભે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર ફરિયાદી ચંદ્રીકાબેન ઉર્ફે સુમીતાબેન મનીષ દાફડા ઉ.વ.34 જેઓ રહે, હીરાભાઇ નાથાભાઇ સોલંકી ગામ.અગતરાય બાગ વિસ્તારમા તા.કેશોદ જી. જુનાગઢ હાલ બીલખા ગેઇટ રાજીવનગર સાંઇપાનની ગલીમા જૂનાગઢ વાળાએ પતિ મનીષ પ્રવીણભાઇ દાફડા, સાસુ લાભુબેન પ્રવીણભાઇ દાફડા અને કાકીજી સાસુ મુકતાબેન મોહનભાઇ દાફડા રહે.તમામ અગતરાય બાગ વિસ્તારમા તા.કેશોદ જી.જુનાગઢ વાળાઓ સામે પોતાની ફરિયાદ આપતા પોલીસને જણાવ્યું હતું કે આ ઉપરોકત આરોપીઓએ વારંવાર દારુ પી ને મારકુટ કરતા અને ભુંડી ગાળો બોલતા. અને ફરી.બેનના સાસુ કહેતા કે તુ જોતી નથી તુ જ્યાં ત્યાં રેઢીયાળ ની જેમ રખડે છે તથા રસોઇ બનાવતી નથી તેવા મેણાટોણા બોલતા તથા ફરી.બેનના કાકીજી સાસુ અવાર નવાર અન્ય આરોપીને ચડામણી કરતા અને ગાલ ઉપર જાપટ મારી ફરી.બેનને શારીરિક માનસીક દુખત્રાસ આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા બાબત પોતાની ફરિયાદતા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.