ભારે કરી ! માણાવદરમાં પાલિકા તંત્રએ પીવાના પાણીની ટેન્ક સ્મશાન ઘાટમાં બનાવી!
માણાવદર પાલિકા કાયમી વિવાદાસ્પદ કાર્યો માટે હવે જાણીતી થઈ ગઈ હોય તેવું જનતાને લાગે છે.
શહેરમાં તાજા બનેલા સીસીરોડ નબળા બનાવો કાં તો કે ડામરના થીગડા મારી શકાય, ભંગાર સસ્તો વેચી નાખો, એવા તો અનેક કાર્યોથી જનતામાં ચર્ચા છે તેવા જ જનતાને નુક્શાન કારક નિર્ણય પાલિકા દ્વારા લેવાયો હોવાની ચર્ચા જનતામાં છે પીવાના પાણીની સુવિદા માટે ઓવર હેડ ટેન્ક સ્મશાન ગૃહમાં બનાવવાની કામગીરીથી ચકચાર મચી જવાપ ામી છે.
કારણ કે, અહીં અગ્નિદાહના ખાટલા? નજીક જ ઓવરહેડ ટેન્ક બનાવવાનું ચાલું છે હવે આ ટેન્ક તથા નીચે સમ્પ બનશે જે અગ્નિ દાહ અપાય છે. તેનાથી નજીક છે. અગ્નિદાહના ગંદી રાખ તથાતેના જીવાણું હોય તો ભયાનક ખતરો 35 હજારની જનતા માથે અને માનવજીંદગી સાથે સીધા ચેડા થશે છતાં પણ કોણ જાણે માણાવદર પાલિકાના વહિવટદારોની શું અંગત લાભ હશે તે સ્મશાન ગૃહ કે જ્યાં મડદાના અગ્નિદાહ અપાય છે. તેવા સ્થળ તપાસે ટાંકો બનાવે છે. શહેરમાં બસસ્ટેન્ડ સામે મોટી જગ્યા છે જ જ્યાં જુના ટાંકા હતાં પડતરપણ છે. સ્વચ્છ વાતાવરણ છે ત્યાં કેમ નથી બનાવતા તે પ્રશ્ર્ન ઉદ્ભવ્યો છે આ સ્મશાન ગૃહના ટાંકો બનાવે તે નિર્ણયથી રોષ ભભુકી ઉઠ્યો છે. 35 હજારની માનવજીંદગી સાથે તાકિદે મુખ્યમંત્રી ચેડા બંધક રાવે તેવી લોકમાંગ છે. સાથે ટાંકાની ગુણવતા તપાસે તો કંઈકના તપેલા ચઢી જશે.