For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયા નજીક ટ્રકની ટક્કરમાં રિક્ષાચાલક આધેડનું મોત

12:48 PM Dec 04, 2023 IST | Sejal barot
ખંભાળિયા નજીક ટ્રકની ટક્કરમાં રિક્ષાચાલક આધેડનું મોત

ખંભાળિયામાં ધરારનગર વિસ્તારમાં આવેલા ગોવિંદ તળાવ ખાતે રહેતા સુલેમાનભાઈ ઇસ્માઈલભાઈ અભુવારા નામના આશરે 55 વર્ષના આધેડ શનિવારે મોડી સાંજે ખંભાળિયા - જામનગર હાઈવે પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર ટી પોસ્ટ પાસેથી પોતાની જી.જે. 10 ટી.ડબલ્યુ. 6372 નંબરની ઓટો રીક્ષા લઈને જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 ટીવાય 9151 નંબરના એક ટ્રકના ચાલકે સુલેમાનભાઈની રીક્ષા સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ જીવલેણ ટક્કરમાં સુલેમાનભાઈને માથાના ભાગે તથા શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના કારણે રિક્ષાનો બુકડો બોલી ગયો હતો.
આ બનાવ અંગે મૃતકના પુત્ર અલ્તાફભાઈ સુલેમાનભાઈ અભુવારા (ઉ.વ. 32, રહે. ધરારનગર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટ્રકના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement