દિગ્વિજય પ્લોટમાં આવેલી દુકાનમાંથી નશાકારક પીણાની 58 બોટલ કબજે કરાઇ
01:00 PM Dec 04, 2023 IST | Sejal barot
જામનગર શહેરમાં કેટલાક ઠંડા પીણા- પાનના વિક્રેતાઓ પોતાની દુકાનમાં આયુર્વેદિક ટોનિક ના નામે નશા કારક પીણાંની બોટલો નું વેચાણ કરી રહ્યા છે, જેની સામે પોલીસ તંત્રએ કમર કસી છે, દરમિયાન ગઈકાલે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક દુકાનમાંથી પોલીસે 58 નંગ નશાકારક પીણાંની બોટલોનો જથ્થો કબજે કરી લીધો છે, અને વેપારી ની પૂછપરછ હાથ ધરી છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 માં આવેલી હરિઓમ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાં આયુર્વેદિક હર્બલ ટોનિક ના નામથી નશાકારક પીણા ની બોટલોનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડી, દુકાનમાંથી 58 નંગ હર્બલ ટોનિક ની બોટલનો જથ્થો કબજે કરી લીધો છે, અને દુકાનના વેપારી બાબુલાલ કાકુભાઈ ભદ્રાની પૂછપરછ હાથ ધરી છે.
Advertisement
Advertisement