ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ત્રિનિદાદ-ટોબેગોના એવોર્ડ સાથે મોદીની ઝોળીમાં 25 સન્માન

05:59 PM Jul 05, 2025 IST | Bhumika
Advertisement

નેહરૂ, ઇન્દિરા ગાંધી, મનમોહનસિંહને તેમના લાંબા કાર્યકાળ છતાં માત્ર 6 આંતરરાષ્ટ્રીય ખિતાબ: ભાજપે નિશાન સાધ્યું

Advertisement

ત્રિનિદાદ-ટોબેગો દ્વારા વડાપ્રધાન મોદીને ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો એવોર્ડ મળ્યો હતો. આ પીએમ મોદીનો 25મો આંતરરાષ્ટ્રીય નાગરિક પુરસ્કાર છે. આના બે દિવસ પહેલા જ ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામાએ તેમને દેશના રાષ્ટ્રીય સન્માન ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાનાથી સન્માનિત કર્યા હતા. નિષ્ણાતો માને છે કે સન્માનોની આ શ્રેણી દર્શાવે છે કે પીએમ મોદીએ આજે વિશ્વ રાજકારણમાં પોતાને એક પ્રભાવશાળી નેતા તરીકે સ્થાપિત કર્યા છે.

જૂનમાં, સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે નિકોસિયાના રાષ્ટ્રપતિ મહેલમાં વડા પ્રધાન મોદીને સાયપ્રસનો સન્માન - ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિઓસ ઈંઈંઈં - થી સન્માનિત કર્યા હતા.
આ વર્ષની શરૂૂઆતમાં, મોરેશિયસ અને શ્રીલંકાએ વડા પ્રધાન મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા હતા. એપ્રિલમાં, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયકે વડા પ્રધાન મોદીને પશ્રીલંકા મિત્ર વિભૂષણથ થી સન્માનિત કર્યા હતા, જે ટાપુ રાષ્ટ્રના રાજ્ય અને સરકારના વડાઓ માટે સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, પપીએમ મોદીએ ફરીથી ઇતિહાસ રચ્યો છે! તેમને કેરેબિયન રાષ્ટ્રનો સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ આ સન્માન મેળવનારા પ્રથમ વિદેશી નેતા બન્યા છે. આ કોઈ વિદેશી સરકાર દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલો 25મો આંતરરાષ્ટ્રીય સન્માન છે. જો આપણે સરખામણી કરીએ તો: જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને મનમોહનસિંહ દાયકાઓ સુધી સત્તામાં હતા છતાં તેમને ફક્ત 6 આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યા.

તાજેતરના વર્ષોમાં, કુવૈત, મોરેશિયસ, શ્રીલંકા, સાયપ્રસ, ગુયાના, ડોમિનિકા, નાઇજીરીયા, સાઉદી અરેબિયા, અફઘાનિસ્તાન, યુએઈ, રશિયા, માલદીવ, બહેરીન, યુએસએ, ભૂતાન, ફીજી, ઇજિપ્ત, ફ્રાન્સ, ગ્રીસ, પાપુઆ ન્યુ ગિની જેવા દેશોએ પણ પીએમ મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. આ ઉપરાંત, સંયુક્ત રાષ્ટ્ર, ગેટ્સ ફાઉન્ડેશન, સીઇઆરએ, સિઓલ પીસ પ્રાઇઝ ફાઉન્ડેશન, ફિલિપ કોટલર એવોર્ડ જેવી વૈશ્વિક સંસ્થાઓએ પણ પીએમ મોદીના નેતૃત્વનું સન્માન કર્યું છે.

ડિસેમ્બર 2024માં કુવૈતે વડા પ્રધાન મોદીને તેમનો સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ મુબારક અલ કબીર એનાયત કર્યો, જેમાં તેમની વિશિષ્ટ સિદ્ધિઓ અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી. આ ઓર્ડર મિત્રતાના પ્રતીક તરીકે રાજ્યના વડાઓ અને વિદેશી રાજ્યના વડાઓ અને વિદેશી રાજવી પરિવારોના સભ્યોને આપવામાં આવે છે.

અગાઉ, આ સન્માન બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા વિદેશી નેતાઓ, રાણી એલિઝાબેથ અને પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જેવા અન્ય મહાનુભાવો ઉપરાંત આપવામાં આવ્યું છે.ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલીએ પ્રધાનમંત્રી મોદીને તેમના દૂરંદેશી રાજકારણ, વૈશ્વિક મંચ પર વિકાસશીલ દેશોના અધિકારોની હિમાયત, વૈશ્વિક સમુદાય પ્રત્યે અસાધારણ સેવા અને ભારત-ગુયાના સંબંધોને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતા માટે ગુયાનાનો સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ એક્સેલન્સથ એનાયત કર્યો.

Tags :
indiaindia newspm modiworldWorld News
Advertisement
Next Article
Advertisement