For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાની પિતા, ભારતીય માતાના 9 બાળકોનું કરવું શું? એસપી મૂંઝવણમાં

04:37 PM Apr 29, 2025 IST | Bhumika
પાકિસ્તાની પિતા  ભારતીય માતાના 9 બાળકોનું કરવું શું  એસપી મૂંઝવણમાં

22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ વિશે પૂછ્યા બાદ ગોળીબાર કર્યો હતો. જેના કારણે 28 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદથી, ભારત સરકાર કાર્યવાહીમાં આવી છે અને પાકિસ્તાન વિરુદ્ધ ઘણા મોટા નિર્ણયો લીધા છે. આ ક્રમમાં, સરકાર દેશમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને બહાર કાઢી રહી છે. પરંતુ મધ્યપ્રદેશમાં, પાકિસ્તાની પિતા અને ભારતીય માતાઓને જન્મેલા 9 બાળકો અંગે મૂંઝવણની સ્થિતિ છે. અધિકારીઓ પણ સમજી શકતા નથી કે આ બાળકોનું શું કરવું, તેમને પાકિસ્તાન મોકલવા જોઈએ કે દેશમાં રહેવાની મંજૂરી આપવી જોઈએ.

Advertisement

માહિતી અનુસાર, અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ કેન્દ્ર સરકારના આદેશ પહેલા 25 એપ્રિલના રોજ ભોપાલમાં લાંબા ગાળાના વિઝા (LTV) માટે અરજી કરનાર પાકિસ્તાની વ્યક્તિના કિસ્સામાં પણ ઉકેલ શોધી રહ્યા છે. ટોચના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમે કેન્દ્ર પાસેથી ભારતીય માતાઓ અને પાકિસ્તાની પિતાઓને જન્મેલા 9 બાળકો વિશે સલાહ માંગી છે. આમાંથી ચાર બાળકો તેમની માતાઓ સાથે ઇન્દોરમાં છે. જ્યારે ત્રણ જબલપુરમાં અને બે ભોપાલમાં છે. આ સાથે, અમે 25 એપ્રિલે કઝટ માટે અરજી કરનાર વ્યક્તિ વિશે પણ સલાહ માંગી છે.

કેન્દ્ર સરકારના આદેશ મુજબ, મધ્યપ્રદેશના કુલ 14 લોકોને, જેમાં આ 9 બાળકોનો સમાવેશ થાય છે, દેશ છોડવો પડ્યો હતો. જોકે, તેમાંથી ત્રણ લોકો ભારત છોડીને પાકિસ્તાન પહોંચી ગયા છે. એક વ્યક્તિ કોઈ સમસ્યાને કારણે દિલ્હીમાં છે. અન્ય એક અધિકારીના જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશમાં વિવિધ પ્રકારના વિઝા પર 228 પાકિસ્તાની નાગરિકો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement