VIDEO: નેપાળના કાઠમંડુમાં પ્લેન થયું ક્રેશ, 18ના મોત,
12:36 PM Jul 24, 2024 IST | Bhumika
Advertisement
નેપાળની રાજધાની કાઠમંડુમાં મોટી દુર્ઘટના સર્જાય છે. કાઠમંડુમાં ટેકઓફ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 19 લોકો સવાર હતા. આમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ટીમે પાંચેય મુસાફરોના મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે કેપ્ટનને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. કાઠમંડુ પોસ્ટ અનુસાર, બુધવારે કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સૂર્યા એરલાઈન્સનું વિમાન ટેકઓફ કરતી વખતે ક્રેશ થયું હતું.
ટીઆઈએના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરે જણાવ્યું હતું કે પોખરા જતી ફ્લાઈટમાં ફ્લાઈટ ક્રૂ સહિત ઓગણીસ લોકો સવાર હતા. લગભગ 11 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. પોલીસ અને ફાયર વિભાગના જવાનો અકસ્માત સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો છે.
Advertisement
Advertisement
