For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાક.ના બે કટકા? બલુચિસ્તાને યુનોમાં માગી માન્યતા

11:10 AM May 09, 2025 IST | Bhumika
પાક ના બે કટકા  બલુચિસ્તાને યુનોમાં માગી માન્યતા

અલગ દેશ તરીકે નકશો પણ જાહેર કર્યો, શાંતીદળો મોકલવા અપીલ, દિલ્હીમાં દૂતાવાસ શરૂ કરવા ભારત પાસે માગણી

Advertisement

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, પ્રખ્યાત બલૂચ લેખક અને કાર્યકર્તા મીર યાર બલોચે પાકિસ્તાનથી બલૂચિસ્તાનની સ્વતંત્રતાની ઘોષણા કરી છે અને નવી દિલ્હીમાં બલૂચ દૂતાવાસ ખોલવા માટે ભારત સરકાર પાસે પરવાનગી માંગી છે. મીર યાર બલોચ બલોચ લોકોના અધિકારોની હિમાયત માટે જાણીતા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ દ્વારા આ જાહેરાત કરી.

તેમણે સંયુક્ત રાષ્ટ્રને બલુચિસ્તાનમાં શાંતિ રક્ષા દળો મોકલવા અને પાકિસ્તાનની સેનાને આ પ્રદેશ છોડી દેવા વિનંતી કરી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલી અથડામણોએ ગંભીર વળાંક લીધો છે. 7 મેની રાત્રે, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. ભારતે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનના કોઈપણ લશ્કરી માળખાને નિશાન બનાવવામાં આવ્યું નથી. જવાબમાં, પાકિસ્તાને ગુરુવારે ડ્રોન, મિસાઇલો અને ભારે તોપખાનાથી ભારતીય લશ્કરી અને નાગરિક વિસ્તારોને નિશાન બનાવીને તણાવમાં વધારો કર્યો.

Advertisement

દરમિયાન, મીર યાર બલોચે દાવો કર્યો હતો કે બલૂચ સ્વતંત્રતા સેનાનીઓએ ડેરા બુગતીમાં પાકિસ્તાનના ગેસ ક્ષેત્રો પર હુમલો કર્યો હતો, જ્યાં 100 થી વધુ ગેસ કુવાઓ આવેલા છે. એક પોસ્ટમાં તેમણે લખ્યું, આપણે આપણી સ્વતંત્રતાની ઘોષણા કરી દીધી છે. પાકિસ્તાનના પતનનો સમય નજીક છે. અમે ભારતને વિનંતી કરીએ છીએ કે બલૂચિસ્તાનને નવી દિલ્હીમાં તેનું સત્તાવાર કાર્યાલય અને દૂતાવાસ ખોલવાની મંજૂરી આપવામાં આવે. તેમણે આગળ લખ્યું, અમે સંયુક્ત રાષ્ટ્રને પડેમોક્રેટિક રિપબ્લિક ઓફ બલુચિસ્તાનથ ની સ્વતંત્રતાને માન્યતા આપવા અને તમામ સભ્ય દેશોની બેઠક બોલાવીને તેનું સમર્થન કરવા વિનંતી કરીએ છીએ .

બલૂચે માંગ કરી હતી કે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશન તાત્કાલિક બલુચિસ્તાનમાં મોકલવામાં આવે અને પાકિસ્તાની સેનાને ત્યાંથી પાછા ફરવાનો આદેશ આપવામાં આવે. તેમણે કહ્યુ પાકિસ્તાની સેના, અર્ધલશ્કરી દળો, પોલીસ, ISI અને વહીવટમાં સેવા આપતા તમામ બિન-બલોચ અધિકારીઓએ તાત્કાલિક બલુચિસ્તાન છોડી દેવું જોઈએ. બલુચિસ્તાનની નવી સરકાર અંગે તેમણે કહ્યુ સ્વતંત્ર બલુચિસ્તાનની નવી સરકારની રચના ટૂંક સમયમાં થશે. મંત્રીમંડળમાં બલુચ મહિલાઓની ભાગીદારી આપણા રાષ્ટ્ર પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આપણી પાસે પણ સેના છે.

બીજી પોસ્ટમાં તેમણે લખ્યું, નસ્ત્રઅરે પાકિસ્તાન, જો તમારી પાસે સેના છે, તો અમારી પાસે પણ બલૂચ સેના છે. બલૂચ સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા હુમલો ચાલુ છે.સ્ત્રસ્ત્ર આ પહેલા એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં પાકિસ્તાની સેનાના વાહનને ઉડાવી દેવામાં આવ્યું હતું. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને દાવો કર્યો હતો કે તેમાં 14 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.

બલૂચ બળવાખોરોનો સેનાની ચોકી પર હુમલો, ગેસ પાઇપલાઇન ઉડાવી

બલુચિસ્તાનમા બલુચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેનાની ચોકીઓ પર મોટો હુમલો કર્યો અને એક મહત્વપૂર્ણ ગેસ પાઇપલાઇન ઉડાવી દીધી. હાલમાં, આ હુમલામાં માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોની સંખ્યા અંગે કોઈ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. હવે પાકિસ્તાની સેના બાહ્ય મોરચાની સાથે આંતરિક બળવાનો સામનો કરી રહી છે. ઓપરેશન સિંદૂર પછી ભારતે લશ્કરી મોરચે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે, ત્યારે પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનમાં બળવાખોર સંગઠન બલુચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેનાની ચોકીઓ પર મોટો હુમલો કર્યો છે. ઉપરાંત, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગેસ પાઇપલાઇન પણ ઉડાવી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, BLA એ ભારે હથિયારોથી હુમલો કર્યો હતો, બલુચિસ્તાનના ઘણા ભાગોમાં પાકિસ્તાની સેનાની આગળની ચોકીઓને નિશાન બનાવી હતી. આ હુમલામાં પાકિસ્તાની સેનાને ગંભીર નુકસાન થયું છે .

Advertisement
Tags :
Advertisement
Advertisement