પંજાબના ત્રણ યુવાનોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ
ઈરાનથી એક મોટા સમાચાર આવ્યા છે. ઈરાનમાંથી પંજાબના ત્રણ યુવાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું. એજન્ટે ત્રણેય યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ઈરાન મોકલ્યા હતા. હવે પરિવારો પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી છે.
ઈરાનમાં અપહરણ કરાયેલા પંજાબના ત્રણ યુવાનો હોશિયારપુર, સંગરુર અને એસબીએસ નગર જિલ્લાના રહેવાસી છે. પરિવારના જણાવ્યા અનુસાર, યુવાનોને દિલ્હીથી વર્ક પરમિટ પર ઓસ્ટ્રેલિયાના નામે ઈરાન મોકલવામાં આવ્યા હતા, જ્યાં 1 મેથી ત્રણેયનો કોઈ સંપર્ક થયો નથી. અપહરણકર્તાઓ 55 લાખથી 1 કરોડ રૂપિયાથી વધુની ખંડણી માંગી રહ્યા છે.
https://x.com/thind_akashdeep/status/1927670285685391447
પરિવારે જણાવ્યું કે વિદેશ મોકલવા માટે પૈસા લેનાર એજન્ટ ફરાર છે. પરિવારે સરકારને મદદ માટે અપીલ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પંજાબના ત્રણેય યુવાનો 1 મેથી ગુમ છે.
https://x.com/India_in_Iran/status/1927663145079738647
તેહરાનમાં ભારતીય દૂતાવાસે X પર પોસ્ટ કરી હતી કે 3 ભારતીય નાગરિકોના પરિવારોએ દૂતાવાસને જાણ કરી છે કે તેમના સંબંધીઓ ઈરાન ગયા પછી ગુમ છે. દૂતાવાસે ઈરાની અધિકારીઓ સમક્ષ આ મામલો મજબૂતીથી ઉઠાવ્યો છે અને વિનંતી કરી છે કે ગુમ થયેલા ભારતીયોને તાત્કાલિક શોધી કાઢવામાં આવે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. અમે નિયમિતપણે પરિવારના સભ્યોને દૂતાવાસ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે અપડેટ આપીએ છીએ.