For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓન્ટારિયાની આગમાં ભારતીય પરિવારના ત્રણ જીવતા ભુંજાયા

11:36 AM Mar 16, 2024 IST | Bhumika
ઓન્ટારિયાની આગમાં ભારતીય પરિવારના ત્રણ જીવતા ભુંજાયા

કેનેડાથી ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં એક અઠવાડિયા પહેલાં ઓન્ટારિયોમાં એક ઘરમાં આગની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો મૃત્યુ પામી ગયા હતા. હવે ખુલાસો એ થયો છે કે આ તમામ મૃતકો ભારતીય મૂળના હતા. જેમની ઓળખ રાજીવ વારિકુ (51), તેમની પત્ની શિલ્પા (47) અને તેમની દીકરી મહેક વારિકુ (16) તરીકે થઈ હતી. માહિતી અનુસાર મૃતકોના બળી ગયેલા અવશેષોની ઓળખ શુક્રવારે થઇ શકી હતી જેના બાદ આ દુ:ખદ માહિતીનો ખુલાસો થયો હતો. પોલીસે જણાવ્યું કે આગ ઓલવાયા બાદ તપાસકારોને બળી ગયેલા ઘરમાંથી માનવીના અવશેષો મળ્યા હતા પણ તે સમયે મૃતકોની કોઈ ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નહોતી. એક મીડિયાના અહેવાલ અનુસાર પોલીસનું એવું માનવું છે કે આ આગ કોઈ આકસ્મિક કારણોસર નહોતી લાગી. પોલીસ હવે દરેક એંગલથી તપાસ કરી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement