For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇસ્લામનો સહારો લઇ ભારતમાં કોમી વિભાજનનો નાપાક ઇરાદો બર નહીં આવે

10:42 AM Apr 29, 2025 IST | Bhumika
ઇસ્લામનો સહારો લઇ ભારતમાં કોમી વિભાજનનો નાપાક ઇરાદો બર નહીં આવે

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પરના તાજેતરના ઘાતકી આતંકવાદી હુમલાએ લગભગ એક દાયકા પહેલા કેન્યાના નૈરોબીમાં એક શોપિંગ મોલ પર અલ શબાબ નામના આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલા હુમલાની યાદો તાજી કરી દીધી છે. તે હુમલામાં, આતંકવાદીઓએ એવા તમામ લોકોને મારી નાખ્યા જેઓ કલમાનો પાઠ કરી શકતા ન હતા. આતંકવાદીઓએ આવી જ બર્બરતા પહેલગામમાં પણ દર્શાવી હતી.તેમણે લોકોને તેમની ધાર્મિક ઓળખ વિશે પૂછ્યું, તેમને કલમા પાઠ કરવા કહ્યું અને કેટલાક લોકોને તેમની ઓળખની પુષ્ટિ કરવા માટે તેમના કપડા ઉતારવા પણ કહ્યું. જેઓ હિંદુ તરીકે ઓળખી શકતા ન હતા અથવા કલમાનો પાઠ કરી શકતા ન હતા તેઓને તેમની પત્નીઓ અને બાળકોની સામે નિર્દયતાથી ગોળી મારી દેવામાં આવી હતી. આસામના એક હિંદુ પ્રોફેસરનો જીવ બચી ગયો કારણ કે તેણે કલમાનો પાઠ કર્યો હતો.

Advertisement

આતંકવાદીઓએ શુદ્ધ જેહાદી વાર્તા સ્થાપિત કરવાના હેતુથી પહેલગામ આતંકી ઘટનાને અંજામ આપ્યો હતો. પહેલગામની ઘટનાને પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરના તાજેતરના ભાષણના સંદર્ભમાં જોવી જોઈએ, જેમાં તેમણે મુસ્લિમોને હિન્દુઓથી અલગ ગણાવ્યા હતા. તેમણે જે રીતે કહ્યું કે આપણા વિચારો, માન્યતાઓ, સંસ્કૃતિ વગેરે બધું જ અલગ છે, તેણે માત્ર હિંદુઓ અને ભારત પ્રત્યેનો નફરત વ્યક્ત કર્યો.પાકિસ્તાન એવું માની રહ્યું હશે કે ધાર્મિક આધાર પર લોકોની હત્યા કર્યા પછી ભારતમાં વાતાવરણ સાંપ્રદાયિક નફરતમાં ફેરવાઈ જશે અને મોટા પાયે હિંસા થશે, પરંતુ તે ખોટું સાબિત થયું. પહેલગામની ઘટનાએ દેશમાં શોક અને ગુસ્સાનું ભાવનાત્મક વાતાવરણ સર્જ્યું છે. આ ઘટનાએ સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું છે.

પહેલગામની ઘટના સ્પષ્ટપણે વિભાજન રેખા બનાવવા માંગતી હતી, પરંતુ આવું થશે નહીં કારણ કે કાશ્મીર સહિત સમગ્ર દેશના લોકો આતંકવાદ સામે ઉભા છે. હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે કોઈ પણ પ્રકારનો દ્વેષ ન વધે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી બંને સમુદાયો અને તેમના નેતાઓની છે. આ જવાબદારી સારી રીતે નિભાવવાથી જ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવી શકાય છે. આ દિશામાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબદુલ્લાનું ગઇકાલે વિધાનસભામાં ભાવુક પ્રવચન પીડીતોના આહ ભરવામાં મદદરૂપ બનશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement