For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચાલક દુશ્મને પાક.ના પાંચ વિસ્તારો પર કાયરતાપૂર્વક હુમલો કર્યો : શરીફના રોદણા

05:41 PM May 07, 2025 IST | Bhumika
ચાલક દુશ્મને પાક ના પાંચ વિસ્તારો પર કાયરતાપૂર્વક હુમલો કર્યો   શરીફના રોદણા

Advertisement

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના પરિણામો હવે પાકિસ્તાન ભોગવી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. પહેલગામ હુમલાના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર કથિત રીતે હુમલો કર્યો હોવાનું મનાય છે. આ ભારતીય કાર્યવાહી પર પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે આજે (બુધવારે, 7 મે 2025) એક નિવેદન આપીને પ્રતિક્રિયા વ્યક્ત કરી.

બપોરે 3:03 વાગ્યે આપેલા પોતાના નિવેદનમાં શેહબાઝ શરીફે ભારતને ‘ચતુર દુશ્મન’ ગણાવ્યું. તેમણે આક્ષેપ કર્યો કે, ‘ચાલાક દુશ્મને પાકિસ્તાનના પાંચ વિસ્તારો પર કાયરતાપૂર્વક હુમલો કર્યો છે.

Advertisement

શેહબાઝ શરીફે વધુમાં જણાવ્યું કે, ભારતે જે યુદ્ધ લાદવાનો પ્રયાસ કર્યો છે તેનો પાકિસ્તાનને કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે, અને અમે તે જવાબ આપી રહ્યા છીએ. તેમના નિવેદન દ્વારા પાકિસ્તાને ભારતીય કાર્યવાહીનો જવાબ આપ્યો હોવાનો દાવો કર્યો છે.

તેમણે પાકિસ્તાની સેના અને દેશના લોકોનું મનોબળ ઊંચું હોવાનું પણ જણાવ્યું. શેહબાઝ શરીફે કહ્યું કે, આખો દેશ તેની સેના સાથે ઉભો છે અને પાકિસ્તાની સેના અને લોકો દુશ્મનનો સામનો કેવી રીતે કરવો તે સારી રીતે જાણે છે. અમે દુશ્મનના દુષ્ટ ઇરાદાઓને ક્યારેય સફળ થવા દઈશું નહીં,

Advertisement
Tags :
Advertisement
Advertisement