For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનમાં આતંકીઓએ પેસેન્જર ટ્રેનને કરી હાઈજેક, 120 લોકોને બંધક બનાવ્યા, 6 સૈનિકોના મોત

06:34 PM Mar 11, 2025 IST | Bhumika
પાકિસ્તાનમાં આતંકીઓએ પેસેન્જર ટ્રેનને કરી હાઈજેક  120 લોકોને બંધક બનાવ્યા  6 સૈનિકોના મોત

Advertisement

બલૂચ આર્મીએ પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક કરી છે. હાઇજેકને કારણે લગભગ 400 લોકો આતંકવાદીઓની કેદમાં ફસાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રેનમાં 140 જવાનો પણ મુસાફરી કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં, ઝફર એક્સપ્રેસમાં સવાર તમામ મુસાફરોને બલૂચિસ્તાન આર્મીના આતંકવાદીઓએ છોડી દીધા હતા, પરંતુ ટ્રેનમાં સવાર તમામ સૈનિકોને બંધક બનાવી લીધા હતા.

પાકિસ્તાની સેનાએ ટ્રેનને અપહરણકારોથી મુક્ત કરાવવાની જવાબદારી સંભાળી લીધી છે. તે જ સમયે, સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 6 જવાન શહીદ થયા છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે મશ્કફ, ધાદર અને બોલાનમાં સમજદારીપૂર્વક ટ્રેનને હાઇજેક કરવામાં આવી છે. અમારા લડવૈયાઓએ પહેલા ટ્રેનના ટ્રેકને બોમ્બથી ઉડાવી દીધો, ત્યારબાદ ટ્રેન સરળતાથી રોકાઈ ગઈ.

Advertisement

BLAનું કહેવું છે કે જેવી ટ્રેન ટ્રેક પર રોકાઈ. અમારા લોકોએ ટ્રેનનો કબજો લીધો. આતંકવાદી સંગઠનોનું કહેવું છે કે જો પાકિસ્તાન સેના કોઈ કાર્યવાહી કરશે તો તમામ 120 બંધકોને મારી નાખવામાં આવશે. BLAએ પાકિસ્તાની સેનાને કડક ચેતવણી આપી છે કે જો તેમની વિરુદ્ધ કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવશે. સંગઠને ધમકી આપી હતી કે જો તેમના પર હુમલો કરવામાં આવશે તો તમામ બંધકોને મારી નાખવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પાકિસ્તાની સેના પર રહેશે.

પાકિસ્તાની સેનાને આપવામાં આવી ચેતવણી
બલૂચ લિબરેશન આર્મી (BLA)ના આતંકવાદીઓ દ્વારા જાફર એક્સપ્રેસના અપહરણ બાદ પાકિસ્તાન સેનાએ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. ભૂમિ દળોએ પીછેહઠ કરવી પડી હતી, ત્યારબાદ હવે હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે હેલિકોપ્ટર અને ફાઈટર જેટ મોકલવામાં આવ્યા છે. BLAની મજીદ બ્રિગેડ, STOS, ફતહ સ્ક્વોડ અને જીરાબ યુનિટના લડવૈયાઓ હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. સંગઠને પાકિસ્તાની સેનાને ચેતવણી આપતા કહ્યું કે, પોતાના સૈનિકોને બચાવવાની આ છેલ્લી તક છે.

બંધકોમાં પાકિસ્તાની સૈનિકોનો પણ સમાવેશ થાય છે
બંધકોમાં પાકિસ્તાની સેના, પોલીસ, આતંકવાદ વિરોધી દળ (ATF) અને ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI)ના સક્રિય ફરજ કર્મચારીઓ પણ સામેલ છે, જેઓ રજા પર પંજાબ જઈ રહ્યા હતા. BLAએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાની સેના કોઈ જવાબી કાર્યવાહી કરશે તો તમામ બંધકોને મારી નાખવામાં આવશે. BLAના પ્રવક્તા ઝિઆંદ બલોચે હુમલાની જવાબદારી લીધી અને કહ્યું કે આ ઓપરેશન સંપૂર્ણપણે આયોજનબદ્ધ હતું અને તેમના લડવૈયાઓ ટ્રેન અને મુસાફરો પર સંપૂર્ણ નિયંત્રણમાં હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement