ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે વાટાઘાટો નિષ્ફળ, ફરી યુધ્ધનો ખતરો

05:42 PM Nov 08, 2025 IST | admin
Advertisement

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શુક્રવારે મોડી રાત્રે કહ્યું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વાટાઘાટો પૂર્ણ થઈ ગઈ છે. આગામી રાઉન્ડ ક્યારે શરૂૂ થશે તે અનિશ્ચિત છે. વાટાઘાટકારો બંને પક્ષો વચ્ચેના ઊંડા મતભેદોને ઉકેલવામાં નિષ્ફળ ગયા. પાકિસ્તાન-અફઘાનિસ્તાન વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ ગુરુવારે તુર્કીના ઇસ્તંબુલમાં શરૂૂ થયો.

Advertisement

બંને પક્ષોએ બંધ દરવાજા પાછળ વાટાઘાટો કરી. વાટાઘાટકારોએ બંને પક્ષોને શાંતિ કરાર પર પહોંચવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈ કામ ન આવ્યું. પાકિસ્તાની પ્રતિનિધિમંડળ ઘરે જવા રવાના થઈ ગયું છે.
પાકિસ્તાનના અખબારે અહેવાલ આપ્યો છે કે, સંરક્ષણ પ્રધાન આસિફે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હાલમા જેમ અમે બોલી રહ્યા છીએ, વાટાઘાટો સમાપ્ત થઈ ગઈ છે અફઘાન તાલિબાન પ્રતિનિધિમંડળ લેખિત કરાર પર હસ્તાક્ષર કરવા તૈયાર નહોતું અને માત્ર મૌખિક કરાર પર આગ્રહ રાખતો હતો. આસિફે કહ્યું કે ઇસ્તંબુલથી ખાલી હાથે પાછા ફરવું દુ:ખદ છે. આસિફે સ્પષ્ટ કર્યું કે, હાલમાં યુદ્ધવિરામ અમલમાં છે. જો અફઘાનિસ્તાન તેનું ઉલ્લંઘન કરે છે, તો પાકિસ્તાન યોગ્ય જવાબ આપશે.

ઓક્ટોબરની શરૂૂઆતમાં સરહદી અથડામણો પછી વાટાઘાટો શરૂૂ કરવામાં આવી હતી. વાટાઘાટોનો પ્રથમ અને બીજો રાઉન્ડ દોહામાં યોજાયો હતો. ઇસ્તંબુલમાં વાટાઘાટોનો હેતુ દેખરેખ પદ્ધતિની પદ્ધતિઓને અંતિમ સ્વરૂૂપ આપવાનો હતો.

દરમિયાન, અફઘાન વાટાઘાટકારોએ દાવો કર્યો હતો કે તેમના પ્રસ્તાવો તાર્કિક અને પાકિસ્તાનને સરળતાથી સ્વીકાર્ય છે. તેમણે ઇસ્લામાબાદની માંગણીઓને અવાસ્તવિક અને આક્રમક ગણાવી હતી, અને કહ્યું હતું કે તે વધુ ગૂંચવણોનું બહાનું બની શકે છે.

Tags :
Pakistan and AfghanistanPakistan and Afghanistan newsworldWorld News
Advertisement
Next Article
Advertisement