રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાંગ્લાદેશમાં રાજકીય અંધાધૂંધી બાદ T-20 વર્લ્ડ કપ ભારતમાં શિફ્ટ થશે?

06:11 PM Aug 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બાંગ્લાદેશમાં સરકાર વિરોધી ચળવળ અને રાજકીય બળવા પછી,આઇસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 ભારતમાં શિફ્ટ થઈ શકે છે. આ ટુર્નામેન્ટમાં ઘણો ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં તૈયારીઓની દૃષ્ટિએ ભારતનો દાવો સૌથી મજબૂત જણાય છે.

બાંગ્લાદેશમાં સરકાર વિરોધી ચળવળને કારણે હિંસાને ધ્યાનમાં રાખીને, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ 3થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાનારા આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપને સ્થાનાંતરિત કર્યો છે. સુરક્ષા કારણોસર કરી શકે છે. આઇસીસીએ વર્લ્ડ કપના આયોજન માટે ભારત, શ્રીલંકા અને સંયુક્ત આરબ અમીરાતને બેકઅપ તરીકે રાખ્યા છે. જોકે, ટુંક સમયમાં તૈયારીઓની દૃષ્ટિએ ભારતનો દાવો સૌથી મજબૂત જણાય છે. રિપોર્ટ અનુસાર, આઇસીસીએ વર્લ્ડ કપની યજમાની માટે બેકઅપ વેન્યુના વિકલ્પો પર કામ કરવાનું શરૂૂ કરી દીધું છે. ભારત અને શ્રીલંકા ટુર્નામેન્ટમાં ટુર્નામેન્ટની યજમાની કરવા માટે તૈયાર છે. શ્રીલંકામાં ઓક્ટોબરમાં વરસાદની મોસમ હોવા છતાં, ભારતમાં પાકિસ્તાની ટીમ માટે વિઝાનો મુદ્દો બની શકે છે.

આઇસીસી આ મુદ્દા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઇસીસી બોર્ડના એક સભ્યએ ગોપનીયતાની શરતે કહ્યું છે કે આઇસીસી તમામ સભ્ય દેશોમાં સુરક્ષા મોનિટરિંગ સિસ્ટમ ધરાવે છે. અમે સ્થિતિ પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છીએ.

પરંતુ ટૂર્નામેન્ટ શરૂ થવામાં હજુ 7 અઠવાડિયા બાકી છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ નહીં તો કયા દેશમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે તે કહેવું વહેલું ગણાશે.

Tags :
BangladeshBangladesh NEWSpoliticalT-20 World Cupworld
Advertisement
Next Article
Advertisement