શેરબજારની તેજી અર્થતંત્રનું ભ્રામક ચિત્ર રજૂ કરે છે: રાજન
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું માનવું છે કે શેરબજારમાં આવેલી તેજી ભારતીય અર્થતંત્રનું વાસ્તવિક ચિત્ર નથી અને આ તેજી ભ્રામક ચિત્ર રજૂ કરી રહી છે.
આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નરે દલીલ કરી હતી કે ભારત 4 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપિટલાઇઝેશન સાથે દેશોના ચુનંદા જૂથમાં જોડાવા સાથે દલાલ સ્ટ્રીટ પરનો ઉત્સાહ અને સેન્સેક્સ સર્વકાલીન વિક્રમી ઊંચાઈએ પહોંચે છે તે ભારતની વ્યાપક આર્થિક સફળતા માટે સારી રીતે સંકેત આપતું નથી.
તાજેતરમાં બહાર પડેલા પુસ્તક બ્રેકિંગ ધ મોલ્ડમાં રાજન અને અર્થશાસ્ત્રી રોહિત લાંબા કહે છે કે શેરબજાર મેક્રો અર્થતંત્રનું ભ્રામક ચિત્ર રજૂ કરે છે, કારણ કે મોટી અર્થવ્યવસ્થાઓ મોટી થઈ રહી છે અને નાની અર્થવ્યવસ્થાઓ નાની થઈ રહી છે.
પેંગ્વિન રેન્ડમ હાઉસ દ્વારા પ્રકાશિત પુસ્તકમાં રાજને લખ્યું છે કે, ડિમોનેટાઇઝેશન, રોગચાળો અને જીએસટીના અમલીકરણ સહિતના ઘણા કારણોને લીધે, અમે આ દેશમાં મોટી કંપનીઓના નફામાં વધારો જોયો છે, જ્યારે નાની અને અનૌપચારિક કંપનીઓ પ્રમાણમાં ખરાબ પ્રદર્શન કરી રહી છે.
તેમનું કહેવું છે કે નોટબંધી પહેલાના સમયગાળામાં જૂન 2016થી એપેરલ અને લેધર જેવી ઘણી નાની કંપનીઓ સાથે ઉચ્ચ-રોજગાર ક્ષેત્રો સંકોચાઈ ગયા છે.
પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને ચીન વચ્ચે સતત તણાવને કારણે ઉભરતા બજારોમાં રોકાણકારો ચીનનો રોકાણ વિકલ્પ ઈચ્છે છે.
રાજન કહે છે કે અન્ય ઊભરતાં બજારોની જેમ ભારતને પણ નાણાપ્રવાહનો લાભ મળી રહ્યો છે. ભારત આ જૂથની મધ્યમાં છે, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલના શેરોએ વર્ષની શરૂૂઆતથી ઘણું ઊંચું વળતર આપ્યું છે.