For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

' શ્રીલંકા માત્ર પાડોશી જ નથી પરંતુ પરંપરાગત મિત્ર પણ છે... 'કોલંબોમાં બોલ્યા પીએમ મોદીએ

01:46 PM Apr 05, 2025 IST | Bhumika
  શ્રીલંકા માત્ર પાડોશી જ નથી પરંતુ પરંપરાગત મિત્ર પણ છે     કોલંબોમાં બોલ્યા પીએમ મોદીએ

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે છે. ત્યાં આજે તેમને શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માન શ્રીલંકા મિત્ર વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે દ્વારા તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. આ અવસરે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં શ્રીલંકા અને ભારત વચ્ચેના સંબંધોના ઊંડાણને સમજાવ્યું હતું અને કહ્યું હતું કે શ્રીલંકા માત્ર પાડોશી દેશ નથી, પરંતુ ભારતનો પરંપરાગત અને વિશ્વસનીય મિત્ર છે. તેમણે કહ્યું કે ભારત દરેક મુશ્કેલ સમયમાં શ્રીલંકા સાથે ઉભું રહ્યું છે અને આગળ પણ રહેશે.

વડા પ્રધાન મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે ભારતે 2019ના આતંકવાદી હુમલા, કોવિડ રોગચાળા અને તાજેતરના આર્થિક સંકટ દરમિયાન શ્રીલંકાને તમામ શક્ય સહાય પૂરી પાડી હતી. તેમણે કહ્યું કે ભારતની નેબર ફર્સ્ટ પોલિસી અને વિઝન ઓશનમાં શ્રીલંકાનું વિશેષ સ્થાન છે. તેમણે કહ્યું કે ભારતે છેલ્લા છ મહિનામાં શ્રીલંકાને આપેલી 100 મિલિયન ડોલરની લોનને અનુદાનમાં પરિવર્તિત કરી છે અને દ્વિપક્ષીય કરારથી શ્રીલંકાના લોકોને તાત્કાલિક રાહત મળશે.

Advertisement

https://x.com/narendramodi/status/1908415501924990987

પીએમ મોદીએ એ પણ જાહેરાત કરી કે ભારત શ્રીલંકાના પૂર્વીય પ્રાંતોના વિકાસ માટે લગભગ 240 કરોડ શ્રીલંકન રૂપિયાની સહાય આપશે. આ સિવાય વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ભારત હજુ પણ શ્રીલંકા સાથે મજબૂત રીતે ઊભું છે. તેમણે કહ્યું કે 'સબકા સાથ, સબકા વિકાસ'નો ભારતનો અભિગમ માત્ર દેશ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભાગીદાર દેશોની પ્રાથમિકતાઓને પણ સમાન મહત્વ આપે છે.

140 કરોડ ભારતીયોનું સન્માન - પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'શ્રીલંકા મિત્ર વિભૂષણ'નું આ સન્માન 140 કરોડ ભારતીયોનું પણ સન્માન છે. તેમણે આ સન્માન માટે રાષ્ટ્રપતિ, સરકાર અને શ્રીલંકાના લોકોનો આભાર માન્યો હતો. તેમણે આશ્વાસન પણ આપ્યું કે ભારત શ્રીલંકાને દરેક જરૂરિયાતમાં સાથ આપશે અને બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.

દિસનાયકેએ પીએમની પ્રશંસા કરી હતી
આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ વડાપ્રધાન મોદીનું સન્માન કરતા કહ્યું કે આ સન્માન માત્ર કોઈ નેતાને સમર્પિત નથી, પરંતુ ભારત અને શ્રીલંકા વચ્ચેના ઊંડા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોને સમર્પિત છે. તેમણે કહ્યું કે પીએમ મોદી આ સન્માન માટે સંપૂર્ણપણે લાયક છે. શ્રીલંકા અને ભારત વચ્ચેની મિત્રતા સમાન મૂલ્યો, પરસ્પર આદર અને સમાન હિતો પર આધારિત છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement