For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાક.ના છ ઠેકાણા ભારતના હિટલિસ્ટમાં

04:46 PM Apr 30, 2025 IST | Bhumika
પાક ના છ ઠેકાણા ભારતના હિટલિસ્ટમાં

પાકિસ્તાન સામે ભારતની સંભવિત લશ્કરી કાર્યવાહી અંગે ઘણા દિવસોથી હલચલ મચી ગઈ છે. એવું માનવામાં આવે છે કે ભારત પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી શકે છે અને આવી સ્થિતિમાં, પાકિસ્તાનમાં હાજર આતંકવાદના માસ્ટરના ઘણા ઠેકાણા પણ ભારતના નિશાને છે તેમાં લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદનું નામ પહેલું છે. સઈદને 2008ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. એવું માનવામાં આવે છે કે હાફિઝ અને લશ્કરનું મુખ્ય મથક નિશાન છે. લશ્કરનું મુખ્ય મથક પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરીદકેમાં હોવાનું માનવામાં આવે છે.

Advertisement

પરંતુ લાહોરમાં સઈદના ગુપ્ત ઠેકાણાની શોધ બાદ, હંગામો વધી ગયો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ભારત પાકિસ્તાન સામેની લશ્કરી કાર્યવાહીમાં સઈદના ઠેકાણા પર હુમલો કરી શકે છે.

બીજુ નિશાન આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો નેતા મસૂદ અઝહર છે. 2019ના પુલવામા હુમલા અને અન્ય આતંકવાદી પ્રવૃત્તિઓનો માસ્ટરમાઈન્ડ છે. તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિયુક્ત વૈશ્વિક આતંકવાદી છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહીમાં, ભારતીય સેના મસૂદ અઝહર અને તેના જૈશ-એ-મોહમ્મદના તાલીમ શિબિર પર હુમલો કરી શકે છે.

Advertisement

ત્રીજુ નિશાન જૈશ-એ-મોહમ્મદના તાલીમ શિબિરો છે. આ શિબિરો મુખ્યત્વે પીઓકે અને પંજાબના બહાવલપુરમાં છે. પીઓકેના રાવલકોટ અને કોટલી જેવા વિસ્તારોમાં જૈશના ઘણા લોન્ચ પેડ અને તાલીમ શિબિર સક્રિય છે. જૈશ-એ-મોહમ્મદે કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલાઓ કર્યા છે અને ભારતે 2019 માં બાલાકોટ હવાઈ હુમલો કરીને જૈશના એક કેમ્પનો નાશ કર્યો હતો. આવા કેમ્પ ભારતની સુરક્ષા માટે ખતરો બની રહ્યા છે.

ચોથા નિશાન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર છે. મુનિર 2022 થી આ પદ પર છે. તેમનું નામ પુલવામા હુમલો અને પહેલગામ હુમલો જેવા આતંકવાદી હુમલાઓ સાથે જોડાયું હતું કારણ કે તે સમયે તેઓ ઈંજઈંના વડા હતા. પાકિસ્તાની સેનાનું મુખ્ય મથક રાવલપિંડીમાં છે. તે પાકિસ્તાનની લશ્કરી વ્યૂહરચના અને કામગીરીનું કેન્દ્ર છે.
પહેલગામ હુમલા પછી, આસીમ મુનીર પર ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેણે લશ્કર અને જૈશ જેવા સંગઠનોને ટેકો આપ્યો છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ડરના કારણે રાવલપિંડીના એક બંકરમાં છુપાયેલો છે. જોકે, પાકિસ્તાન સરકારે 26 એપ્રિલે તેમના ફોટોગ્રાફ્સ જાહેર કરીને આ અફવાઓને રદિયો આપવાનો પ્રયાસ કર્યો.

પાંચમુ નિશાન ત્રાસવાદીઓના લોન્ચિંગ પેડ છે. હાલની માહિતી અનુસાર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 17 તાલીમ શિબિરો અને 37 લોન્ચ પેડ સક્રિય છે, જે લશ્કર, જૈશ-એ-મોહમ્મદ અને અન્ય આતંકવાદી સંગઠનો દ્વારા સંચાલિત છે. આ કેમ્પો ભારતમાં ઘૂસણખોરી અને હુમલાઓ માટે આતંકવાદીઓને તૈયાર કરે છે. આ લોન્ચ પેડ મુખ્યત્વે રાવલકોટ અને કોટલી જેવા વિસ્તારોમાં છે. આ લોન્ચ પેડ્સ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો મુખ્ય સ્ત્રોત છે.

જ્યારે છઠ્ઠુ નિશાન પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ઈંજઈં) છે. આ એજન્સીઆતંકવાદી સંગઠનોને ટેકો આપવા અને ભારત સામે પ્રોક્સી યુદ્ધ ચલાવવા માટે કુખ્યાત છે. તે લશ્કર અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને તાલીમ અને નાણાકીય સહાય પૂરી પાડે છે. ઈંજઈંનું મુખ્ય મથક ઇસ્લામાબાદમાં છે, જે વ્યૂહાત્મક અને ગુપ્તચર પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement