For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હસીનાને મૃત્યુદંડની સજા બાદ બાંગ્લાદેશમાં ગોળીબાર-બોંબ વિસ્ફોટ, આગચંપી: બેનાં મૃત્યુ

11:07 AM Nov 18, 2025 IST | admin
હસીનાને મૃત્યુદંડની સજા બાદ બાંગ્લાદેશમાં ગોળીબાર બોંબ વિસ્ફોટ  આગચંપી  બેનાં મૃત્યુ

ચૂકાદા બાદ મીઠાઇ વહેંચી રહેલા લોકો પર હુમલા બાદ જૂથ અથડામણ

Advertisement

બાંગ્લાદેશની કાંગારુ કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકાર્યા બાદ, દેશના અનેક ભાગોમાંથી હિંસાના અહેવાલો આવ્યા છે. રાતોરાત તણાવપૂર્ણ પરિસ્થિતિ પ્રવર્તી હતી. હિંસામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. ઢાકામાં તોફાનીઓએ બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઘરને બાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં, શેખ હસીનાની મૃત્યુદંડની સજા બાદ કેટલાક લોકો મીઠાઈ વહેંચી રહ્યા હતા ત્યારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા.

આ ઉપરાંત, ઘણી જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થયા છે. દેશભરમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. કોટલીપરામાં બોમ્બ વિસ્ફોટમાં ત્રણ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.સુરક્ષા એજન્સીઓએ સોમવારે રાજધાનીમાં પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઘરને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે વિરોધીઓને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.

Advertisement

ડેપ્યુટી પોલીસ કમિશનર મસૂદ આલમને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, વિરોધકર્તાઓને વિખેરવા માટે ઘણા સાઉન્ડ ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહેવાલો દર્શાવે છે કે લાઠીચાર્જ અને પથ્થરમારા દરમિયાન ઘણા વિરોધીઓ અને સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. સોમવારે, હસીનાને ગયા વર્ષે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શનો પર તેમની સરકારના કથિત ક્રૂર કાર્યવાહી બદલ માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ખાસ અદાલત દ્વારા તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

ચુકાદો જાહેર થાય તે પહેલાં જ, વિરોધીઓના એક મોટા જૂથે શેખ મુજીબુર રહેમાનના ઘરના સ્થળ, ધાનમોન્ડી 32 તરફ બે બુલડોઝર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓએ તેમને અટકાવ્યા હોવાનું કહેવાય છે અને વિરોધીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement