For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલામતી સમિતિમાં પાક. ભાઠે ભરાયું: સભ્ય દેશોએ ધર્મના નામે હત્યાની ઝાટકણી કાઢી

10:58 AM May 06, 2025 IST | Bhumika
સલામતી સમિતિમાં પાક  ભાઠે ભરાયું  સભ્ય દેશોએ ધર્મના નામે હત્યાની ઝાટકણી કાઢી

સોમવારે યુએનએસસીએ પાકિસ્તાન સાથે દોઢ કલાક સુધી બંધ બારણે બેઠક યોજી હતી. જોકે, આ બેઠકમાંથી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. આ બેઠક પછી, સંયુક્ત રાષ્ટ્રએ ન તો કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું કે ન તો કોઈ ઠરાવ પસાર થયો.

Advertisement

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ બન્યા છે. દરમિયાન, પાકિસ્તાનની વિનંતી પર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠક બંધ રૂૂમમાં યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પાકિસ્તાન અલગ પડી ગયું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, યુએનએસસીના સભ્યો સાથે બંધ બારણે થયેલી બેઠકમાં, ભારત વિશે પાકિસ્તાનના કથન પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. યુએનના સભ્યોએ પાકિસ્તાનના ખોટા ધ્વજના વર્ણનને સંપૂર્ણપણે નકારી કાઢ્યું. તેના બદલે, પહેલગામ હુમલામાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની ભૂમિકા પર પ્રશ્નો ઉભા થયા.

Advertisement

ફોલ્સ ફ્લેગ એ એક લશ્કરી કાર્યવાહી છે જ્યાં કોઈ દેશ ગુપ્ત રીતે અને ઇરાદાપૂર્વક પોતાની મિલકત અને માનવ જીવનને નુકસાન પહોંચાડે છે. જ્યારે તે દુનિયાને કહે છે કે તેના દુશ્મન દેશે આ કર્યું છે.

આ બેઠક દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી. કેટલાક સભ્યોએ ધર્મના આધારે પ્રવાસીઓને નિશાન બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો. કેટલાક દેશોએ પાકિસ્તાનના મિસાઇલ પરીક્ષણ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી હતી. આમ, વર્તમાન પરિસ્થિતિને આંતરરાષ્ટ્રીય બનાવવાના પાકિસ્તાનના પ્રયાસો નિષ્ફળ ગયા. એટલું જ નહીં, સભ્ય દેશોએ પાકિસ્તાનને ભારત સાથેની તેની સમસ્યાઓ દ્વિપક્ષીય સ્તરે ઉકેલવાની સલાહ પણ આપી. બેઠક દરમિયાન અને પછી પાકિસ્તાન સંપૂર્ણપણે અલગ પડી ગયું હતું.
બેઠક દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત અસીમ ઇફ્તિખારે જણાવ્યું હતું કે ઞગજઈ બેઠકનો ઉદ્દેશ્ય પ્રાપ્ત થયો છે.

તેમણે કહ્યું કે આ બેઠકમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના મુદ્દાને ઉકેલવા પર પણ ચર્ચા કરી.
આ બેઠક સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ થઈ હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ તાજેતરના વર્ષોમાં સૌથી ખરાબ સ્તરે પહોંચી ગઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement