For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રમ્પે નહીં સાઉદી અરબે યુધ્ધવિરામ કરાવ્યો: પાક.નો ધડાકો

11:08 AM Jun 20, 2025 IST | Bhumika
ટ્રમ્પે નહીં સાઉદી અરબે યુધ્ધવિરામ કરાવ્યો  પાક નો ધડાકો

પાક.ના નૂરખાન એરબેઝ ઉપર મિસાઇલ ઝીંકતા જ સાઉદી પ્રિન્સે ભારતને સમજાવ્યું, ડોનાલ્ડ ટ્રમ્પની ડંફાસોનો ફુગ્ગો ફોડી નાખતાં પાક.ના ઇશાક ડાર

Advertisement

પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે પહેલી વાર જાહેરમાં સ્વીકાર્યું છે કે ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ અને શોરકોટ એરબેઝ પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલો 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં હતો જેમાં 26 નાગરિકો માર્યા ગયા હતા.

ડારે જિયો ન્યૂઝ સાથેની એક મુલાકાત દરમિયાન આ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, અમે અમારા બદલો લેવા માટે તૈયારી કરી રહ્યા હતા, પરંતુ ભારતે અમારા પહેલાં કાર્યવાહી કરી અને અમને આશ્ચર્યચકિત કર્યા.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો. જો કે, ભારતે દરેક વખતે તેમના દાવાઓને નકારી કાઢ્યા છે. ટ્રમ્પના દાવાઓથી વિપરીત, ઇશાક ડારે કહ્યું કે હુમલા પછી તરત જ, સાઉદી પ્રિન્સ ફૈઝલ બિન સલમાને તેમનો સંપર્ક કર્યો અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરવાની અને ભારત-પાકિસ્તાન તણાવ ઘટાડવામાં મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ડારે કહ્યું, સાઉદી પ્રિન્સ ફૈઝલ બિન સલમાને ફોન કરીને પૂછ્યું કે શું તેઓ જયશંકરને કહી શકે છે કે પાકિસ્તાન રોકવા માટે તૈયાર છે.

Advertisement

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ તાજેતરમાં સ્વીકાર્યું હતું કે ભારતે રાવલપિંડી એરપોર્ટ સહિત પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં બ્રહ્મોસ મિસાઇલોથી હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતે ફરીથી મિસાઇલ હુમલા કર્યા અને આપણા વિવિધ પ્રાંતો, ખાસ કરીને રાવલપિંડી એરપોર્ટને નિશાન બનાવ્યું. તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે પાકિસ્તાને 10 મેના રોજ સવારે 4:30 વાગ્યે બદલો લેવાની કાર્યવાહી કરવાની યોજના બનાવી હતી, પરંતુ 9-10 મેની રાત્રે ભારતના બીજા તબક્કાના હુમલાએ તે યોજનાને નિષ્ફળ બનાવી દીધી.
ભૂતપૂર્વ આર્મી ચીફ અને હવે ફિલ્ડ માર્શલ જનરલ અસીમ મુનીરે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે અમેરિકામાં વસતા પાકિસ્તાનીઓને કહ્યું હતું કે, ભારત એક નવી સામાન્યતા સ્થાપિત કરવા માંગે છે જેમાં તે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને હુમલો કરી શકે. આ નિવેદન પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોનમાં પ્રકાશિત થયું હતું.

ઓપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂૂ થયું હતું, જેમાં ભારતે ડ્રોન અને મિસાઇલ હુમલાઓ દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (ઙઘઊં) માં સ્થિત આતંકવાદી ઠેકાણાઓ અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાને 8, 9 અને 10 મેના રોજ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે વધુ અસરકારક રીતે જવાબ આપ્યો હતો. સતત ચાર દિવસ સુધી ચાલેલા આ મુકાબલા પછી, 10 મેના રોજ બંને દેશો વચ્ચે અનૌપચારિક યુદ્ધવિરામ કરાર થયો.

Advertisement
Tags :
Advertisement
Advertisement