For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનમાં પોલીસના વાહનો પર રોકેટ હુમલો, 11 પોલીસકર્મીઓના મોત, બાકીનાને બનાવાયા બંધક

10:40 AM Aug 23, 2024 IST | Bhumika
પાકિસ્તાનમાં પોલીસના વાહનો પર રોકેટ હુમલો  11 પોલીસકર્મીઓના મોત  બાકીનાને બનાવાયા બંધક
Advertisement

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પોલીસકર્મીઓ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 11 પોલીસકર્મી માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર રહીમ યાર ખાન જિલ્લામાં કેટલાક પોલીસકર્મીઓને બંધક પણ બનાવવામાં આવ્યા હતા

પંજાબ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે આ દરમિયાન ડાકુઓ ત્યાં પહોંચી ગયા અને તેમના પર રોકેટથી હુમલો કર્યો. હુમલામાં ઓછામાં ઓછા 11 પોલીસકર્મીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા, જ્યારે તેમાંથી કેટલાકને બંધક બનાવવામાં આવ્યા હતા અને બાકીના ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે.

Advertisement

પ્રવક્તાએ કહ્યું કે ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને રહીમ યાર ખાન શેખ જાયદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ ઘટનાની કડક નોંધ લેતા, પંજાબના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે આઈજી પોલીસ ડૉ. ઉસ્માન અનવરને ઘટનાસ્થળે પહોંચવા અને ડાકુઓ દ્વારા બંધક બનાવેલા પોલીસકર્મીઓને પરત મેળવવા માટે ઓપરેશન શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે આવા જિલ્લાઓના ઉબડખાબડ વિસ્તારો (પરા)માં ગુનેગારોનું શાસન સહન કરવામાં આવશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement