રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાનો વિરોધ પણ સરકારને UNનો ટેકો

05:54 PM Aug 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા પર નજર રાખવા ભારત સમિતિ બનાવશે

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, અમે બાંગ્લાદેશની સરકાર અને લોકોને જરૂૂરી લાગે તે કોઈપણ રીતે સમર્થન આપવા તૈયાર છીએ. આ દરમિયાન ભારતે શુક્રવારે ભારત-બાંગ્લાદેશ સરહદ પરની સ્થિતિ અને બાંગ્લાદેશમાં ભારતીયો અને હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અમે હિંદુ લઘુમતીઓ પર હુમલાના વિરોધમાં છીએ. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે બાંગ્લાદેશમાં તાજેતરના અઠવાડિયામાં જે હિંસા થઈ છે તેમાં ઘટાડો થાય. સેક્રેટરી જનરલના ડેપ્યુટી પ્રવક્તા ફરહાન હકે કહ્યું કે, અમે કોઈપણ જાતિ આધારિત હુમલા અથવા હિંસા ભડકાવવાની વિરુદ્ધ છીએ.

બાંગ્લાદેશી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઓછામાં ઓછા 27 જિલ્લાઓમાં વ્યવસાયિક સંસ્થાઓમાં તોડફોડ કરવામાં આવી હતી. ટોળાના હુમલામાં હિંદુઓને નિશાન બનાવીને મારી નાખવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા ત્યારથી ફેલાયેલી અરાજકતામાં ઓછામાં ઓછા 232 લોકોએ જીવ ગુમાવ્યા છે. જુલાઈના મધ્યમાં વિદ્યાર્થીઓનો વિરોધ શરૂૂ થયો ત્યારથી મૃત્યુની કુલ સંખ્યા 550 થી વધુ થઈ ગઈ છે.

અમેરિકી પ્રવક્તાએ એ પણ સ્વીકાર્યું કે નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે વચગાળાની સરકારના વડા તરીકે શપથ ગ્રહણ કર્યા પછી યુએનને એક સમાવિષ્ટ સરકાર રચના પ્રક્રિયાની અપેક્ષા છે. યુનુસના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપનાર બાંગ્લાદેશમાં યુએનના સ્થાનિક સંયોજક ગ્વિન લેવિસે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, યુએન આ સમયે બાંગ્લાદેશના લોકો સાથે શાંતિ અને સર્વસમાવેશકતા માટેના આહ્વાનને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે.

કટ્ટરવાદી ખાલિદ હૂસૈન બાંગ્લાદેશની વચગાળાની સરકારનો ધાર્મિક મંત્રી
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ હવે નવી વચગાળાની સરકાર ની રચના કરવામાં આવી છે.આ સરકારનું નેતૃત્વ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ કરી રહ્યા છે. બાંગ્લાદેશની નવી સરકારમાં અન્ય 16 સભ્યોનો પણ સમાવેશ થાય છે જેમને જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી છે. હાલમાં જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે અબુલ ફૈયાઝ મોહમ્મદ ખાલિદ હુસૈન (અઋખ ખાલિદ હુસૈન) છે. ખાલિદ હુસૈનને મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારમાં ધાર્મિક બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા છે. અબુલ ફૈયાઝ એક કટ્ટરપંથી નેતા છે અને તેની સામે હિંદુ વિરોધી હિંસામાં સામેલ હોવાનો પણ આરોપ છે.

Tags :
Bangladesh NEWSHindus attacksUN supportworld
Advertisement
Next Article
Advertisement