For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તણાવ વચ્ચે પાકિસ્તાને પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવ્યા: વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ

06:15 PM May 09, 2025 IST | Bhumika
તણાવ વચ્ચે પાકિસ્તાને પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવ્યા   વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ

Advertisement

ભારતે 'ઓપરેશન સિંદૂર' બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારત સતત પાકિસ્તાન પર કાર્યવાહી કરી રહ્યું છે. આ તરફ પાકિસ્તાને ફરી એકવાર દેશના અનેક સ્થળો ઉપર નિષ્ફળ હુમલાનો પ્રયાસ કર્યા બાદ ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. આ બધાની વચ્ચે ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનમાં હુમલાનો પ્રયાસ કરતાં ભારતીય સેનાએ મોટા ભાગના ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. આ તણાવની વચ્ચે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

જનરલ સોફિયા કુરૈશીએ જણાવ્યું હતું, કે મધ્ય રાત્રિએ પાકિસ્તાની સેનાએ ભારતીય એરસ્પેસનો ઉલ્લંઘન કર્યો અને નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો. પાકિસ્તાને 36 સ્થાનો પર 300થી 400 ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ મોટા ભાગના ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. ડ્રોનના કાટમાળની તપાસ કરવામાં આવી રહી છે, જોકે પ્રાથમિક જાણકારી અનુસાર આ ડ્રોન તુર્કીયેના છે. રાત્રિમાં જ પાકિસ્તાને UAVથી ભટીંડા સૈન્ય સ્ટેશન પર હુમલાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. જેના જવાબમાં ભારતે ચાર ડ્રોન પાકિસ્તાન તરફ છોડ્યા જેમાંથી એક ડ્રોન રડારને તોડવામાં સફળ રહ્યું.

Advertisement

ભારતીય સેનાએ જણાવ્યું છે કે પાકિસ્તાન તેના નાગરિક વિમાનોને ઢાલ બનાવીને ઉપયોગ કરી રહ્યું છે. સરહદ નજીક ભારતના એરસ્પેસમાં કોઈ નાગરિક વિમાને ઉડાન નથી ભરી, પરંતુ પાકિસ્તાનના એરસ્પેસમાં નાગરિક વિમાનો ઉડાન ભરી રહ્યા હતા.

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે, "પાકિસ્તાની હુમલાના જવાબમાં, ચાર પાકિસ્તાની હવાઈ સંરક્ષણ સ્થળો પર સશસ્ત્ર ડ્રોનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આમાંથી એક ડ્રોન એડી રડારને નષ્ટ કરવામાં સક્ષમ હતું. પાકિસ્તાને ભારે કેલિબર બંદૂકો અને સશસ્ત્ર ડ્રોનનો ઉપયોગ કરીને નિયંત્રણ રેખા પારથી પણ ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે કેટલાક ભારતીય સૈન્ય કર્મચારીઓને જાનહાનિ અને ઇજાઓ થઈ હતી. ભારતીય જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને પણ ભારે નુકસાન થયું હતું."

ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું, કે 'પાકિસ્તાન દ્વારા પૂંછમાં ગુરુદ્વારા પર હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દુનિયાને ભરમાવવા માટે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે કે ભારતે નનકાના સાહિબ ગુરુદ્વારા પર ડ્રોનથી હુમલો કર્યો છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં કરતારપુર સાહિબ કોરિડોર આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યું છે.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, "પોતાની કાર્યવાહી સ્વીકારવાને બદલે, પાકિસ્તાને વાહિયાત અને અપમાનજનક દાવો કર્યો છે કે તે ભારતીય સશસ્ત્ર દળો છે જે અમૃતસર જેવા તેના પોતાના શહેરોને નિશાન બનાવી રહ્યા છે અને પાકિસ્તાન પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમ તેનો ઇતિહાસ દર્શાવે છે, તે આવી કાર્યવાહી કરવામાં માહિર છે. પાકિસ્તાને ખોટી માહિતી ફેલાવી છે કે ભારતે ડ્રોન હુમલા દ્વારા નાનકાના સાહિબ ગુરુદ્વારાને નિશાન બનાવ્યો હતો, જે વધુ એક ખુલ્લેઆમ જૂઠાણું છે. પાકિસ્તાન સાંપ્રદાયિક વિવાદ ઊભો કરવાના ઇરાદાથી પરિસ્થિતિને સાંપ્રદાયિક બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે."

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું, "અમૃતસર પર હુમલો કરવાનું પાકિસ્તાનનું નિવેદન હાસ્યાસ્પદ છે. નિષ્ફળ ડ્રોન હુમલા છતાં પાકિસ્તાને પોતાનું નાગરિક હવાઈ ક્ષેત્ર બંધ કર્યું ન હતું, જે ખતરનાક અને બેજવાબદાર છે. આનાથી માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ છે."

Advertisement
Tags :
Advertisement
Advertisement