પાક. પહેલગામ જેવો આતંકી હુમલો ફરી કરી શકે છે
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, જેમાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક વ્યક્તિનું મોત થયું હતું, ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી માળખાનો નાશ કરવામાં આવ્યો.
પશ્ચિમી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર કટિયારે ચેતવણી આપી હતી કે પાકિસ્તાન ફરી એકવાર પહેલગામ જેવું આતંકવાદી કાવતરું ઘડી શકે છે કારણ કે તેની પાસે ભારત સામે સીધું યુદ્ધ કરવાની ક્ષમતા અને હિંમતનો અભાવ છે. જમ્મુમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું. તેમણે કહ્યું, અમે તેમની ચોકીઓ અને વાયુસેના મથકોનો નાશ કર્યો છે. પરંતુ આપણે સતર્ક રહેવું પડશે, કારણ કે તેઓ ફરીથી કંઈક કરવાનો પ્રયાસ કરી શકે છે.
જનરલ કટિયારે સ્પષ્ટપણે કહ્યું કે જો પાકિસ્તાન કોઈ પગલું ભરશે, તો ભારતનો બદલો વધુ ઘાતક હશે. તેમણે કહ્યું, જો તેઓ કંઈ કરશે, તો અમારો જવાબ પહેલા કરતા પણ વધુ ઘાતક હશે. તેમાં કોઈ શંકા નથી. અમે સંપૂર્ણપણે તૈયાર છીએ, અને મને વિશ્વાસ છે કે આગામી કાર્યવાહી વધુ નિર્ણાયક હશે.
ભૂતપૂર્વ સૈનિકોને સંબોધતા તેમણે કહ્યું કે પાકિસ્તાન તેની દુર્ભાવનાપૂર્ણ નીતિઓથી પાછળ નહીં હટે કારણ કે તેની પાસે ભારત સામે સીધી લડવાની ક્ષમતા કે હિંમત નથી. તેમણે કહ્યું, ભારતીય સેના સંપૂર્ણપણે તૈયાર છે અને અમને લોકોનો સંપૂર્ણ ટેકો છે. તેથી જ અમે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને કારમી હાર આપવામાં સફળ રહ્યા.
નૌકાદળ પાક. પર હુમલો કરવાનું હતું, પણ પાક.એ નાક રગડતાં બચી ગયું
ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ વધુમાં જણાવ્યું હતું કે જો દુશ્મન દેશે વધુ આક્રમક બનવાનું નક્કી કર્યું હોત, તો તે તેમના માટે વિનાશક બની શક્યું હોત, અને તેમને ફક્ત સમુદ્રથી જ નહીં પરંતુ અન્ય ભાગોમાંથી પણ મોટા હુમલાઓનો સામનો કરવો પડ્યો હોત. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, જ્યારે ભારતીય લશ્કરી દળોએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકવાદી સંગઠનો પર હુમલો કર્યો, ત્યારે પડોશી દેશ સાથે ચાર દિવસનો લશ્કરી સંઘર્ષ શરૂૂ થયો. આ સમય દરમિયાન, ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં આગળ વધી ગયું હતું અને પાકિસ્તાન પર હુમલો કરવા જઈ રહ્યું હતું, અને આ કદાચ એક હકીકત છે જે બહુ ઓછા લોકો જાણે છે. નૌકાદળ અરબી સમુદ્રમાં પહોંચી ગયું હતું અને ઉૠખઘએ વાત કરી ત્યારે તે સંપૂર્ણપણે તૈયાર હતું. તેમણે કહ્યું કે જો પાકિસ્તાને થોડી વધુ રાહ જોઈ હોત અને નમ્ર ન હોત, તો પડોશી દેશ માટે પરિણામો વિનાશક હોઈ શકે છે. તેમણે દાવો કર્યો હતો કે ઓપરેશન સિંદૂર દરમિયાન 100 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. લશ્કરી અધિકારીએ આગળ કહ્યું, જો દુશ્મને તેને વધુ ઉગ્ર બનાવવાનું નક્કી કર્યું હોત, તો તે તેમના માટે વિનાશક બની શક્યું હોત, અને તેમને ફક્ત સમુદ્રથી જ નહીં, પરંતુ અન્ય ભાગોમાંથી પણ મોટા હુમલાઓનો સામનો કરવો પડ્યો હોત.