For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓમ શાંતિ ઓમ: મિત્રને માર ખાતુ જોઈ ચીને મધ્યસ્થીની ઓફર કરી

05:36 PM May 10, 2025 IST | Bhumika
ઓમ શાંતિ ઓમ  મિત્રને માર ખાતુ જોઈ ચીને મધ્યસ્થીની ઓફર કરી

હંમેશા યુદ્ધની આગ ફેલાવનાર ચીન, પોતાના મિત્ર પાકિસ્તાનને હારતો જોઈને શાંતિ, શાંતિ કહેવા લાગ્યું છે. પહેલગામ હુમલા પછી ભારતનું ઓપરેશન સિંદૂર અને પછી ગભરાટના જવાબમાં પાકિસ્તાનના જોરદાર વળતો હુમલો, ડ્રેગનની ચિંતાઓમાં વધારો કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે ભારત અને પાકિસ્તાનને શાંતિની અપીલ કરી અને ચેતવણી આપી કે જો મામલો વધુ વકરશે તો તે કોઈના હિતમાં રહેશે નહીં. આમ કરતી વખતે તેમણે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર મૌન જાળવી રાખ્યું.

Advertisement

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ચીને સંઘર્ષ વધવા પર ચિંતા વ્યક્ત કરી છે. ચીને ભારત અને પાકિસ્તાનને વાટાઘાટોના ટેબલ પર પાછા આવવાની સલાહ આપી અને કહ્યું કે તે મધ્યસ્થી કરવા તૈયાર છે. ચીન સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતાના હિતમાં સંયમ અને શાંતિ જાળવવા અને શાંતિપૂર્ણ માધ્યમથી રાજકીય સમાધાનના માર્ગ પર પાછા ફરવા અપીલ કરીએ છીએ.

સ્ત્રસ્ત્ર તણાવ વધુ વધે તેવી કોઈપણ ક્રિયા ટાળો. આ ભારત અને પાકિસ્તાન બંનેના હિતમાં રહેશે.
અને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે જરૂૂરી છે. વૈશ્વિક સમુદાય પણ આવી જ અપેક્ષા રાખી રહ્યો છે. ચીન આનો અંત લાવવામાં ભૂમિકા ભજવવા તૈયાર છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement