For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હું ગમે તે કરું, મને નોબેલ નહીં મળે: ટ્રમ્પનો વલોપાત

11:20 AM Jun 21, 2025 IST | Bhumika
હું ગમે તે કરું  મને નોબેલ નહીં મળે  ટ્રમ્પનો વલોપાત

અમેરિક પ્રમુખને નોબેલ આપવા પાકિસ્તાનની ખુલ્લી વકાલત

Advertisement

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ટાળવામાં, રશિયા-યુક્રેન અને ઈરાન-ઇઝરાયલ જેવા વિવાદોને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને લખ્યું, મને તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મેં, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે મળીને, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને રિપબ્લિક ઓફ રવાન્ડા વચ્ચે એક અદ્ભુત સંધિ ગોઠવી છે. આ યુદ્ધ અન્ય કોઈપણ યુદ્ધ કરતાં વધુ હિંસક રક્તપાત અને મૃત્યુ માટે જાણીતું છે અને દાયકાઓ સુધી ચાલ્યું છે.

બીજી તરફ અમેરિકાના બગલ બચ્ચા જેવા પાકિસ્તાને ભારત-પાક વચ્ચે યુધ્ધ વિરામ કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતી પુરસ્કાર આપવા ખુલ્લેઆમ માગણી કરી છે.

Advertisement

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે કહ્યું કે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે, હું ગમે તે કરું, લોકો જાણે છે અને તે જ મારા માટે મહત્વનું છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, મને આ માટે નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે મને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે, સર્બિયા અને કોસોવો વચ્ચેના યુદ્ધને રોકવા માટે મને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે.

તેમણે કહ્યું, મને ઇજિપ્ત અને ઇથોપિયા વચ્ચે શાંતિ જાળવવા માટે નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, અને જો બધું બરાબર રહેશે તો મધ્ય પૂર્વમાં અબ્રાહમ કરાર માટે મને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે, જે વધારાના દેશોના હસ્તાક્ષરોથી ભરવામાં આવશે. તેમણે આગળ કહ્યું, પના, મને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે, ભલે હું ગમે તે કરું, રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-ઈરાન સહિત, પરિણામો ગમે તે હોય, પરંતુ લોકો જાણે છે અને તે જ મારા માટે મહત્વનું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement