For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યામાં ભારતીય કડી નથી: કેનેડિયન પંચ

11:15 AM Jan 30, 2025 IST | Bhumika
ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યામાં ભારતીય કડી નથી  કેનેડિયન પંચ

Advertisement

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કેટલાક ભારતીય એજન્ટો સામેલ હોવાનો આરોપ લગાવતા આક્ષેપોનો વિરોધ કરતાં, કેનેડા કમિશનના અહેવાલમાં જણાવાયું છે કે વિદેશી રાજ્ય સાથે કોઈ નિશ્ચિત કડી સાબિત નથી.

મંગળવારે જાહેર કરાયેલા 123 પાનાના અહેવાલમાં આ અવલોકન કરવામાં આવ્યું હતું, જેને ફેડરલ ઇલેક્ટોરલ પ્રોસેસિસ એન્ડ ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન્સમાં વિદેશી હસ્તક્ષેપની જાહેર તપાસ નામ આપવામાં આવ્યું હતું.
આ જ અહેવાલમાં ભારત સરકાર પર કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો, જે દાવાને ભારતે ભારપૂર્વક નકારી કાઢ્યો હતો. અહેવાલના જવાબમાં, વિદેશ મંત્રાલયે કહ્યું, અમે કથિત હસ્તક્ષેપ પર કથિત પ્રવૃત્તિઓ અંગેનો અહેવાલ જોયો છે. હકીકતમાં કેનેડા જ ભારતની આંતરિક બાબતોમાં સતત દખલ કરી રહ્યું છે. આનાથી ગેરકાયદેસર સ્થળાંતર અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ માટે પણ વાતાવરણ ઊભું થયું છે.

Advertisement

ભારત-કેનેડાના રાજદ્વારી સંબંધોમાં તિરાડ ત્યારે ઊભી થઈ જ્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કેનેડા પાસે નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણી સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે. ભારતે આ દાવાઓને વાહિયાત ગણાવીને ભારપૂર્વક નકારી કાઢ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement