For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લેસ્ટરમાં આ વખતે દિવાળીએ ફટાકડા નહીં ફૂટે: જાહેર સલામતીના બહાને પ્રતિબંધ

05:55 PM Sep 06, 2025 IST | Bhumika
લેસ્ટરમાં આ વખતે દિવાળીએ ફટાકડા નહીં ફૂટે  જાહેર સલામતીના બહાને પ્રતિબંધ

યુકેના લેસ્ટરમાં રહેતા હિન્દુઓ આ વર્ષે પહેલાની જેમ ધામધૂમથી દિવાળી ઉજવી શકશે નહીં. બ્રિટિશ અધિકારીઓએ ફટાકડા ફોડવા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ મૂક્યો છે. સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

Advertisement

લેસ્ટર સિટી કાઉન્સિલના જણાવ્યા અનુસાર, 20 ઓક્ટોબર, 2025 ના રોજ, દર વર્ષની જેમ, બેલગ્રેવ રોડના પ્રખ્યાત ગોલ્ડન માઇલને લાઇટોથી શણગારવામાં આવશે અને આ સમય દરમિયાન રસ્તાઓ પર ટ્રાફિક પણ બંધ કરવામાં આવશે. પરંતુ આ વખતે કોઈ ફટાકડા ફોડવામાં આવશે નહીં, કોઈ સ્ટેજ કાર્યક્રમ નહીં થાય અને કોઈ દિવાળી મેળાનું આયોજન કરવામાં આવશે નહીં. આ નિર્ણય સુરક્ષા સલાહકાર જૂથ (SAG) ના સૂચન પર લેવામાં આવ્યો છે. SAG માં કાઉન્સિલ, પોલીસ અને કટોકટી સેવાઓના પ્રતિનિધિઓ શામેલ છે. તેમનું કહેવું છે કે ગયા વર્ષે દિવાળી દરમિયાન લગભગ 50,000 લોકો ભેગા થયા હતા, જેના કારણે સુરક્ષાની ગંભીર ચિંતાઓ ઉભી થઈ હતી.

ભારતીય મૂળના સાંસદ શિવાની રાજાએ સુરક્ષા સલાહકાર જૂથ (SAG) ના સૂચન પર લેવાયેલા આ નિર્ણયની ટીકા કરવામાં આવી છે. તેમણે કહ્યું લેસ્ટરની દિવાળી માત્ર એક ધાર્મિક તહેવાર નથી પણ સમગ્ર શહેરની ઓળખ છે. ટ્વિટર પર પોસ્ટ કરતા તેમણે લખ્યું, લેસ્ટરની દિવાળી ભારતની બહાર સૌથી મોટી ઉજવણી છે, પરંતુ હવે કાઉન્સિલ જાહેર સલામતીના નામે તેને મર્યાદિત કરી રહી છે.લેસ્ટરમાં હિન્દુ સમાજની વસ્તી લગભગ 18 ટકા છે અને આ જ કારણ છે કે અહીં દિવાળી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દુ તહેવારોને લઈને પણ વિવાદો અને તણાવ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં, મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન (ખઈઇ) એ ગણેશ ચતુર્થીની શોભાયાત્રામાં ભગવા ધ્વજના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો.

Advertisement

અને તેને હિન્દુ કટ્ટરવાદ ગણાવ્યો હતો અને કાર્યવાહીની માંગ કરી હતી.
આ ઉપરાંત, 2022 માં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પછી ફાટી નીકળેલી હિંસા હજુ પણ લેસ્ટરની સમુદાય એકતા પર ઊંડા ઘા છોડી ગઈ છે. તે સમયે, સોશિયલ મીડિયા પર હિન્દુઓ વિરુદ્ધ અફવાઓ ફેલાવવામાં આવી હતી, જેના કારણે હિન્દુ ઘરો અને મંદિરો પર હુમલા, ભગવા ધ્વજનું અપમાન અને લોકો પર ખુલ્લા છરીના હુમલા થયા હતા. બાદમાં, નવેમ્બર 2022 માં, તપાસ અહેવાલમાં સ્પષ્ટ થયું કે આ હિંસા હિન્દુત્વ કટ્ટરવાદને કારણે નહોતી પરંતુ ઇસ્લામિક પ્રચાર દ્વારા ભડકાવવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement