For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાક.ના આતંકી સંગઠનોનો નવો મુકામ, નવી ભરતી

11:26 AM Sep 20, 2025 IST | Bhumika
પાક ના આતંકી સંગઠનોનો નવો મુકામ  નવી ભરતી

ઓપરેશન સિંદૂર પછી હચમચી ગયેલા હિઝબૂલ, જૈશ-એ-મહમદે હવે તેમના અડ્ડા પીઓકેથી અફઘાન સરહદ નજીક ખસેડ્યા

Advertisement

ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં નવ મોટા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતના આ હુમલાથી આતંકવાદી આકાઓ ડરી ગયા છે. તેથી, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી સંગઠનો, ખાસ કરીને જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) અને હિઝબુલ મુજાહિદ્દીન (એચએમ) એ પોતાના અડ્ડાઓ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ખસેડવાનું શરૂૂ કરી દીધું છે. આ ફેરફાર દર્શાવે છે કે તેઓ હવે પીઓકેને અસુરક્ષિત માને છે. જોકે, ખૈબર પખ્તુનખ્વા તેમને વધુ સારી સુરક્ષા પ્રદાન કરે છે, કારણ કે તે અફઘાન સરહદની નજીક છે અને અફઘાન યુદ્ધના સમયથી જૂના જેહાદી અડ્ડાઓ ધરાવે છે.

ભારતમાં વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના અગ્રણી વ્યક્તિ મસૂદ ઇલ્યાસ કાશ્મીરી,જે સંગઠનના સ્થાપક મૌલાના મસૂદ અઝહરના નજીકના માનવામાં આવે છે, તેમણે મેળાવડામાં ભડકાઉ ભાષણ આપ્યું. તેમણે ઓસામા બિન લાદેનની પ્રશંસા કરી, તેમને શોહદા-એ-ઇસ્લામ અને અરબસ્તાનના રાજકુમાર ગણાવ્યા. કાશ્મીરીએ જૈશ-એ-મોહમ્મદની વિચારધારાને અલ-કાયદાના વારસા સાથે જોડી અને ખૈબર પખ્તુનખ્વાને મુજાહિદ્દીન માટે કાયમી સલામત આશ્રયસ્થાન તરીકે વર્ણવ્યું. 14 સપ્ટેમ્બર, 2025 ના રોજ, ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ શરૂૂ થવાના લગભગ સાત કલાક પહેલા, જૈશ-એ-મોહમ્મદે ખૈબર પખ્તુનખ્વાના માનસેહરા જિલ્લાના ગઢી હબીબુલ્લાહ શહેરમાં ખુલ્લેઆમ ભરતી અભિયાન શરૂૂ કર્યું.

Advertisement

જૈશ હવે 25 સપ્ટેમ્બરે પેશાવરમાં એક મોટી ઘટનાની યોજના બનાવી રહ્યું છે. આ વખતે, જૈશ દુનિયાથી બચવા માટે અલ-મુરાબિટૂન નામનું નવું નામ વાપરશે. અલ-મુરાબિટૂનનો અર્થ ઇસ્લામ ભૂમિના રક્ષકો થાય છે.

નવા તાલિમ કેન્દ્રોનું નિર્માણ

સૂત્રોએ જણાવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદ માનશેરામાં મરકઝ શોહદા-એ-ઇસ્લામ નામનું એક નવું તાલીમ કેન્દ્ર બનાવી રહ્યું છે. ઓપરેશન સિંદૂર પછી આ કેમ્પે પોતાનો વ્યાપ વધાર્યો છે, જેનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં જૈશની ભરતી અને તાલીમ પ્રવૃત્તિઓને સરળ બનાવવાનો છે. અહેવાલો અનુસાર, હિઝબુલ મુજાહિદ્દીનના ભૂતપૂર્વ પાકિસ્તાની કમાન્ડો ખાલિદ ખાનના નેતૃત્વ હેઠળ ખૈબર પખ્તુનખ્વાના લોઅર ડીરના બંદાઈ વિસ્તારમાં HM313 નામનું એક નવું તાલીમ કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. આ કેમ્પનો હેતુ y PoKમાં નાશ પામેલા કેમ્પોને બદલવાનો અને કાશ્મીરમાં વૈચારિક અને સરહદ પાર આયોજન માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપવાનો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement