For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નેપાળના નવા પીએમના પતિએ વિમાન હાઇજેક કર્યું’તું

06:59 PM Sep 13, 2025 IST | Bhumika
નેપાળના નવા પીએમના પતિએ વિમાન હાઇજેક કર્યું’તું

બનારસ યુનિ.માંથી રાજયશાસ્ત્રમાં અભ્યાસ કરનારા સુશિલા કાર્કીની છબી પ્રામાણિક નેતા તરીકેની

Advertisement

નેપાળની શેરીઓથી ગૃહ સુધીનો હોબાળો હવે બંધ થઈ ગયો છે. શુક્રવારે રાત્રે, યુવાનોની પ્રિય સુશીલા કાર્કીએ દેશના વચગાળાના વડા પ્રધાન તરીકે શપથ લીધા. સુશીલા કાર્કીએ 1975માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં એમએ કર્યું હતું. પ્રોફેસર દીપક મલિક, જે તે સમયેBHUમાં ભણાવતા હતા. તેમણે સુશીલા કાર્કી વિશે જણાવ્યું હતું કે કાર્કી હંમેશા પ્રામાણિક રહે છે. પ્રોફેસર મલિકે જણાવ્યું હતું કે કાર્કીએ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક નિર્ણયો લીધા હતા, જેના કારણે તેમને ખૂબ માન મળ્યું હતું.

સુશીલા કાર્કીBHUમાં જ તેમના પતિ દુર્ગાપ્રસાદ સુબેદીને મળ્યા. તેમના પતિ નેપાળી કોંગ્રેસના યુવા નેતા હતા. તેમણે 10 જૂન 1973ના રોજ રાજા મહેન્દ્રના પંચાયત શાસનનો વિરોધ કરતી વખતે વિમાન હાઇજેક કર્યું હતું. આ હાઇજેકિંગમાં નાગેન્દ્ર ધુંગેલ અને બસંત ભટ્ટરાય પણ સામેલ હતા. તેનો હેતુ રાજાશાહી સામે બળવો કરવા માટે પૈસા એકઠા કરવાનો હતો. ગિરિજા પ્રસાદ કોઈરાલા અને ભવિષ્યમાં નેપાળના પીએમ બનનારા સુશીલ કોઈરાલા પણ તેમાં સામેલ હતા. દુર્ગા પ્રસાદ સુબેદીએ તે જ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો અને નેપાળનું પહેલું વિમાન હાઇજેક કર્યું હતું. 1973માં, સુબેદી અને અન્ય બે લોકોએ રોયલ નેપાળ એરલાઇન્સનું વિમાન હાઇજેક કર્યું હતું, જેમાં પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી માલા સિંહા પણ સવાર હતી. કાર્કીનીBHU સાથેની મિત્રતા અને પ્રામાણિકતાની વાર્તાઓ હજુ પણ યાદ છે. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ તેઓ નેપાળ જાય છે, ત્યારે તેઓ તેમને ચોક્કસ મળે છે. છેલ્લી વખત તેઓ તેમને નવેમ્બર 2024માં મળ્યા હતા.

Advertisement

અહેવાલો અનુસાર, અપહરણકર્તાઓએ પાઇલટને બિહારના અરરિયા જિલ્લામાં વિમાન ઉતારવાનું કહ્યું. આ સ્થળ નેપાળ સરહદની નજીક છે. અપહરણકર્તાઓ ત્યાંથી જંગલમાં ભાગી ગયા હતા. તેઓ તેમની સાથે ઘણા પૈસા લઈ ગયા હતા. એવું કહેવાય છે કે આ પૈસા નેપાળી બેંકના હતા, જેને કાઠમંડુ લઈ જવામાં આવી રહ્યા હતા.

આ ઘટના પછી સુબેદી વારાણસીમાં છુપાઈ ગયા. 1975માં ભારતમાં કટોકટી લાદવામાં આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ બે વર્ષ જેલમાં રહ્યા, પછી તેમને નેપાળ સરકારને સોંપવામાં આવ્યા. અન્ય અપહરણકર્તાઓને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા, પરંતુ કટોકટી હટાવ્યા પછી તેમને છોડી દેવામાં આવ્યા.

Advertisement
Tags :
Advertisement
Advertisement