For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણા આજે દિલ્હી પહોંચશે, પટિયાલા હાઉસ કોર્ટમાં વર્ચ્યુઅલ હાજરી આપશે

10:20 AM Apr 10, 2025 IST | Bhumika
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણા આજે દિલ્હી પહોંચશે  પટિયાલા હાઉસ કોર્ટમાં વર્ચ્યુઅલ હાજરી આપશે

Advertisement

૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા ટૂંક સમયમાં ભારતીય ભૂમિ પર આવશે. તેને અમેરિકાથી લાવવામાં આવી રહ્યો છે. જે વિમાનમાં તહવ્વુરને લાવવામાં આવી રહ્યો છે તે દિલ્હીમાં ઉતરશે. આ દરમિયાન એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. SWAT કમાન્ડો ટીમ એરપોર્ટ પર પહોંચી ગઈ છે.

મુંબઈ 26/11 આતંકવાદી હુમલાનો મુખ્ય આરોપી તહવ્વુર રાણા આજે ગુરુવારે 12 થી 2 વાગ્યાની વચ્ચે ભારત પહોંચશે. ભારત આવ્યા પછી, NIA સૌથી પહેલું કામ 26/11 હુમલા સંબંધિત કેસમાં તહવ્વુર રાણાની ધરપકડ કરશે. ત્યારબાદ તહવ્વુર રાણાને NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવશે, જ્યાં તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ રાણાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડ માંગવામાં આવશે.

Advertisement

રાણાને કડક સુરક્ષા વચ્ચે દિલ્હી એરપોર્ટથી NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવશે. સુરક્ષાના અનેક સ્તરો હશે. તેમને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના SWAT કમાન્ડોના સુરક્ષા કવચ હેઠળ લઈ જવામાં આવશે. રાણાના કાફલાને દિલ્હી પોલીસના અનેક વાહનો એસ્કોર્ટ કરશે. રાણા એરપોર્ટથી બુલેટપ્રૂફ કારમાં જશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તહવ્વુર રાણાને દિલ્હીની તિહાર જેલમાં હાઈ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવશે. જેલ પ્રશાસને સુરક્ષા વધારી દીધી છે અને કોર્ટના નિર્દેશોની રાહ જોઈ રહ્યું છે. તેની પૂછપરછ કર્યા પછી NIA તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરી શકે છે. બધી ટીમો હાઇ એલર્ટ પર છે.

તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે અને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક, અમેરિકન નાગરિક ડેવિડ કોલમેન હેડલીનો નજીક છે.

૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ, ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓના જૂથે મુંબઈમાં એક રેલ્વે સ્ટેશન, બે હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર હુમલો કર્યો. 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં છ અમેરિકનો સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા. આ હુમલાઓ 10 પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. આ જ કેસમાં, નવેમ્બર 2012 માં, પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

લશ્કર-એ-તૈયબા અને હેડલી સાથેના સંબંધોને કારણે ભારત ઘણા વર્ષોથી રાણાના પ્રત્યાર્પણનો પ્રયાસ કરી રહ્યું છે. રાણાએ અમેરિકામાં તેમની પાસે ઉપલબ્ધ તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કર્યો પરંતુ તેમને દરેક જગ્યાએ નિષ્ફળતા મળી.

Advertisement
Tags :
Advertisement
Advertisement