ભારતમાં નહીં જવા બહાના કાઢે છે: નિરવ મોદીના જામીન ફગાવતી યુકે હાઈકોર્ટ
યુકે હાઈકોર્ટે ફ્યુગર હીરાના ઉદ્યોગપતિ અને પંજાબ નેશનલ બેંક (PNB) ના 13000 કરોડ રૂૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય આરોપી નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી છે.જામીન અરજી ફગાવતા કોર્ટે કહ્યું કે, ભારતીય તપાસ એજન્સીઓને હજુ સુધી નીરવ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીની રકમ મળી નથી. કોર્ટના ચુકાદાની નકલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં નીરવ મોદીને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
કોર્ટે તેના દસ પાનાના વિગતવાર આદેશમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે. જેના આધારે ન્યાયાધીશે ભાગેડુ ઉદ્યોગપતિને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. યુકેની જસ્ટિસ કિંગ્સ બેન્ચ ડિવિઝન કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, નીરવ મોદી દ્વારા કરવામાં આવેલી 600 મિલિયન (લગભગ રૂૂ. 5,150 કરોડ) ની છેતરપિંડી હજુ સુધી ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા શોધી શકાઈ નથી.
કોર્ટના આદેશમાં, ન્યાયાધીશે કહ્યું, સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે અરજદાર (નીરવ મોદી) પાસે ભારત પાછા ફરવાનું ટાળવા માટે એક મજબૂત પ્રોત્સાહન છે. તે ભારતીય એજન્સીઓ દ્વારા દરેક શક્ય રીતે પ્રત્યાર્પણ ટાળવાનો પ્રયાસ કરશે. આ પ્રોત્સાહન નીચેના તથ્યોમાંથી ઉદ્ભવે છે: તે ભારતમાં ખૂબ જ ગંભીર અને મોટા આર્થિક ગુનાના કેસમાં ટ્રાયલનો સામનો કરવા માટે વોન્ટેડ છે. જેમાં તેને મુખ્ય ગુનેગાર કહેવામાં આવે છે. તેની ગંભીરતા ત્રણ પાસાઓમાં રહેલી છે: (શ) ગુનાની પ્રકૃતિ, (શશ) તેની ભૂમિકા અને (શશશ) સંભવિત સજા.
કોર્ટે વધુમાં કહ્યું કે, નીરવ છેલ્લા 6 વર્ષ અને 2 મહિનાથી જેલમાં છે. જે તેની સજાના સમયગાળામાં ગણવામાં આવશે. પરંતુ તેણે કરેલા ગુનાની ગંભીરતાને જોતાં, આ સમયગાળો તેના ભાગી જવાનું જોખમ ઘટાડતો નથી.