For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેડમ Nની ભારતમાં જાસૂસી માયાજાળ

11:16 AM Jun 06, 2025 IST | Bhumika
મેડમ nની ભારતમાં જાસૂસી માયાજાળ

Advertisement

લાહોરની ટ્રાવેલ એજન્ટે ભારતમાં 3000 જાસૂસોનું નેટવર્ક ગોઠવી લીધું

પહલગામ આતંકવાદી હુમલા બાદ, દેશમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન સાથે શેર કરી રહ્યા હતા. યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પછી, પોલીસે જસબીરસિંહ નામના વધુ એક યુટ્યુબરની ધરપકડ કરી છે. બંને પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે. ભારતીય સુરક્ષા એજન્સી સતત એવા લોકોને શોધી રહી છે જેઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી (ISI) સાથે સંકળાયેલા છે.
આ દરમિયાન, લાહોરમાં ટ્રાવેલ એજન્સી ચલાવતી એક પાકિસ્તાની ઉદ્યોગપતિ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. નોશાબા શહેઝાદ નામની આ મહિલાએ ભારતના તે યુટ્યુબર્સને મદદ કરી હતી જેમાં જ્યોતિ મલ્હોત્રા પણ સામેલ હતા જેઓ પાકિસ્તાન જવા માંગતા હતા. આ પછી, મહિલાએ ભારતીય યુટ્યુબર્સને જાસૂસીના ખેલમા ફસાવ્યા.

Advertisement

આ મહિલા લાહોરમાં જયના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ નામની કંપની ચલાવે છે. આઇએસઆઇએ નોશાબા શહેઝાદને મેડમ એન કોડ નામ આપ્યું હતું. તેણે ઓછામાં ઓછા 500 જાસૂસોનું એક વિશાળ સ્લીપર સેલ નેટવર્ક તૈયાર કર્યું છે, જે આખા ભારતમાં છુપાયેલા હોઈ શકે છે.

શહેઝાદના પતિ પાકિસ્તાની સિવિલ સર્વિસના નિવૃત્ત અધિકારી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની આર્મી અને આઇએસઆઇએ તેમને ભારતમાં સ્લીપર સેલ નેટવર્ક સ્થાપવા માટે સૂચનાઓ મોકલી હતી.
શહેઝાદને દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસમાં પ્રવેશ હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે તે ફર્સ્ટ સેક્રેટરી (વિઝા) સુહેલ કમર અને કાઉન્સેલર (ટ્રેડ) ઉમર શેરયાર સાથે સંપર્કમાં હતી, જેનો અર્થ એ થયો કે તે જેને ઇચ્છતી તેને ફોન કોલ પર તાત્કાલિક પાકિસ્તાની વિઝા મળી શકતો હતો.

તેણે પાકિસ્તાન પહોંચેલા ભારતીય યુટ્યુબર્સને દેશના લશ્કરી અને આઇએસઆઇ અધિકારીઓને મળવા માટે ગોઠવ્યા. તેણીએ હજારો હિન્દુઓ અને શીખોને પાકિસ્તાનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. છેલ્લા છ મહિનામાં, તેણીએ ભારતના લગભગ 3,000 નાગરિકો અને 1,500 બિન-નિવાસી ભારતીયો (NRIs) ને પાકિસ્તાન આવવામાં મદદ કરી.

તે આઇએસઆઇ ઓપરેટિવ ડેનિશ ઉર્ફે એહસાન-ઉર-રહેમાનના સંપર્કમાં હતી, જે દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસમાં વિઝા અધિકારી તરીકે કામ કરતો હતો. જ્યોતિ મલ્હોત્રાના ખુલાસા બાદ મે મહિનામાં દાનિશને ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.

નોશાબા શહજાદના પાકિસ્તાની સેના અને આઇએસઆઇ સાથે એટલા મજબૂત સંબંધો હતા કે તેમની કંપની એકમાત્ર એજન્સી છે જે પાકિસ્તાનમાં શીખ અને હિન્દુ યાત્રાઓનું આયોજન કરે છે. તાજેતરમાં તેમણે દિલ્હી અને અન્ય શહેરોમાં કેટલાક ટ્રાવેલ એજન્ટોની નિમણૂક કરી છે, જેઓ હવે સોશિયલ મીડિયા પર તેમની કંપનીનો પ્રચાર કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement