For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખાલિસ્તાનીઓનું ભારત વિરૂધ્ધ ષડયંત્ર, ફંડિંગ અહીંથી થાય છે: કેનેડાનો સ્વીકાર

05:53 PM Jan 29, 2025 IST | Bhumika
ખાલિસ્તાનીઓનું ભારત વિરૂધ્ધ ષડયંત્ર  ફંડિંગ અહીંથી થાય છે  કેનેડાનો સ્વીકાર

કેનેડા ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપતા આતંકવાદીઓ માટે સુરક્ષિત દેશ બની ગયો છે. કેનેડાએ પણ હવે આ વાત સ્વીકારી લીધી છે. કેનેડા સરકાર દ્વારા તેના દેશમાં વિદેશી હસ્તક્ષેપ કમિશનની રચના કરવામાં આવી છે.

Advertisement

આ કમિશને કેનેડા સરકારને સાત વોલ્યુમનો અહેવાલ સુપરત કર્યો છે. વિદેશી હસ્તક્ષેપની તપાસ કરી રહેલી સમિતિએ રિપોર્ટમાં ઘણા સનસનીખેજ ખુલાસા કર્યા છે. કેનેડાએ સ્વીકાર્યું છે કે તેના દેશમાંથી ભારત વિરુદ્ધ માત્ર આતંકવાદ જ નથી ફેલાવવામાં આવી રહ્યો છે પરંતુ આતંકવાદને ફંડ પણ આપવામાં આવી રહ્યું છે.કેનેડિયન ગુપ્તચર એજન્સી CSIS (કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ)ને સુપરત કરાયેલા 7 વોલ્યુમ રિપોર્ટના ચોથા ગ્રંથ ધ ગવર્નમેન્ટ્સ કેપેસિટી ટુ ડિટેક્ટ, ડિટર એન્ડ કાઉન્ટર ફોરેન ઇન્ટરફરન્સના પેજ 98 અને 99 પર ભારત સંબંધિત માહિતી ઉપલબ્ધ છે. એ રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદીઓને લઈને ભારતની ચિંતા વાજબી છે.

ઈજઈંજના જણાવ્યા અનુસાર કેટલાક ખાલિસ્તાની આતંકવાદીઓ કેનેડામાં બેસીને ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. સાથે જ ભારતમાં આતંકવાદને પણ અહીંથી ફંડિંગ થાય છે. કેનેડાના વિદેશી હસ્તક્ષેપ આયોગે પણ લખ્યું છે કે આવા પુરાવા મળ્યા બાદ કેનેડાએ આતંકવાદ સંબંધિત મામલામાં ભારતને સહકાર આપ્યો છે. CSIS રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement

કે કેનેડામાં હાજર ખાલિસ્તાની સમર્થકો શાંતિપૂર્ણ રીતે કામ કરે છે.
જો કે, ફોરેન ઇન્ટરફરન્સ કમિશનના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે કેનેડાની ચૂંટણીમાં દખલગીરી કરી હતી. કેનેડાના આ દાવા પર વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયે કેનેડાના આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તે જ સમયે, વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કેનેડા ભારતના આંતરિક મામલામાં સતત દખલ કરી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement