For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યમન પર ઈઝરાયલી હુમલામાં બંદરોને ભારે નુક્સાન: હૂથી નેતાઓને મારી નાખવા પ્રતિજ્ઞા

11:04 AM May 17, 2025 IST | Bhumika
યમન પર ઈઝરાયલી હુમલામાં બંદરોને ભારે નુક્સાન  હૂથી નેતાઓને મારી નાખવા પ્રતિજ્ઞા

કાલે ઇઝરાયલે યમનમાં હુથી-નિયંત્રિત બંદરો પર મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં ભારે નુકસાન થયું. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ઇઝરાયલી સેનાએ યમનના તે બંદરોને ભારે નુકસાન પહોંચાડ્યું છે જે હુતી આતંકવાદી સંગઠનના નિયંત્રણ હેઠળ છે. તેણે હુથી નેતાને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે.

Advertisement

સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે કહ્યું કે જો હુતી સંગઠન ઇઝરાયલ પર મિસાઇલ હુમલા ચાલુ રાખશે, તો તેમને અને તેમના નેતાઓને ગંભીર પરિણામો ભોગવવા પડશે. જેમ આપણે ગાઝામાં હમાસના લશ્કરી વડા મોહમ્મદ દેઈફ, બૈરુતમાં સિનવાર (હમાસ નેતા) અને હસન નસરાલ્લાહ (હિઝબુલ્લાહ નેતા) પર, તેહરાનમાં હનિયા (હમાસ વડા) પર હુમલો કર્યો, તેવી જ રીતે આપણે યમનમાં અબ્દુલ મલિક અલ-હુથીને પણ નિશાન બનાવીશું. અમે કોઈપણ દુશ્મન સામે અમારી બધી શક્તિથી પોતાનો બચાવ કરતા રહીશું.

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ કાર્યવાહીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, અમારા પાઇલટ્સે હુથી આતંકવાદીઓના બે ઠેકાણાઓ પર સફળતાપૂર્વક હુમલો કર્યો છે. અમે હુથીઓને વધુ નુકસાન પહોંચાડીશું, જેમાં તેમના નેતાઓ અને તેઓ જે માળખાકીય સુવિધાઓનો ઉપયોગ અમને નુકસાન પહોંચાડવા માટે કરે છે તેનો પણ સમાવેશ થાય છે.

Advertisement

નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે હૂતીઓ પાછળ ઈરાનનો હાથ છે. તેમણે વધુમાં કહ્યું કે, હુથીઓ ફક્ત એક પ્યાદુ છે. તેમની પાછળની શક્તિ, જે તેમને ટેકો આપે છે અને દિશામાન કરે છે, તે ઈરાન છે. હુથીઓને ભારે કિંમત ચૂકવવી પડશે, અને અમે ઇઝરાયલની સુરક્ષા જાળવવા માટે દરેક શક્ય પગલાં લઈશું.

ઇઝરાયલ દ્વારા આ હુમલો હુથી જૂથ દ્વારા તાજેતરના મિસાઇલ હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યો છે. હુથી-નિયંત્રિત અલ મસિરાહ ટીવીએ અહેવાલ આપ્યો છે કે ઇઝરાયલે શુક્રવારે યમનના હુદાયદાહ અને સલીફ બંદરો પર હુમલો કર્યો હતો. હુદાયદાહના બે રહેવાસીઓએ ચાર મોટા વિસ્ફોટો સાંભળ્યા.

Advertisement
Tags :
Advertisement
Advertisement