For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાઝા પટ્ટી પર ઇઝરાયલનો ફરી હુમલો, 40 લોકોનાં મોત

05:22 PM Sep 10, 2024 IST | Bhumika
ગાઝા પટ્ટી પર ઇઝરાયલનો ફરી હુમલો  40 લોકોનાં મોત
Advertisement

ફરી એકવાર ગાઝા પટ્ટીના લોકો પર જોરદાર હુમલો કર્યો છે. આ હુમલામાં ગાઝાપટ્ટીના 40 નાગરિકોના મોત થયા છે, જ્યારે 60 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જો કે ઈઝરાયેલની સેનાએ હજુ સુધી આ અંગે કોઈ વિગતવાર માહિતી આપી નથી. ઈઝરાયેલનું કહેવું છે કે આ હુમલો તેમની તરફથી આતંકવાદીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.આમાં, આવા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી હતી જેઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની અંદર કામ કરી રહ્યા હતા.

ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હતા. આ હુમલામાં અન્ય 60 લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. ઈઝરાયેલ-હમાસ યુદ્ધથી વિસ્થાપિત પેલેસ્ટાઈનોએ ઈઝરાયેલે જે જગ્યાએ હુમલો કર્યો હતો ત્યાં આશરો લીધો છે. પેલેસ્ટિનિયન ન્યૂઝ એજન્સીએ તબીબી અધિકારીઓના હવાલાથી હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા જણાવી. ખાન યુનિસના પશ્ચિમમાં દરિયાકાંઠાના માવાસીમાં થયેલા હુમલા અંગેની વિગતો હજુ અસ્પષ્ટ છે.

Advertisement

જો કે, ઇઝરાયેલી સેનાએ તેને માનવતાવાદી ક્ષેત્ર તરીકે નિયુક્ત કર્યું છે. ઇઝરાયેલી સૈન્યએ તરત જ હુમલાની વિગતો આપી ન હતી પરંતુ કહ્યું હતું કે તેનો હેતુ ટોચના હમાસ આતંકવાદીઓને નિશાન બનાવવા હતો જેઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની અંદર કામ કરી રહ્યા હતા. હમાસે એક નિવેદનમાં આનો ઇનકાર કર્યો હતો,
જો કે ઇઝરાયેલ લાંબા સમયથી હમાસ અને અન્ય આતંકવાદીઓ પર નાગરિક વસ્તીવાળા વિસ્તારોમાં છુપાયેલા હોવાનો આરોપ લગાવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement